પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે.ક્ષત્રિય સમાજની પાંચ મહિલાઓએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે, ત્યારે આ મહિલાઓના ઘર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ક્ષત્રિયાણીઓને આત્મવિલોપન કરતા અટકાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. જેના પગલે જામનગરથી ક્ષત્રિય મહિલાઓ અમદાવાદ આવી પહોંચી છે.
જામનગરથી આવેલી મહિલાઓ આત્મવિલોપનનો નિર્ણય લીધેલ 5 મહિલાઓને સમજાવાનો પ્રયત્નો કરશે. જામનગર ઉપરાંત વડોદરાથી પણ મહિલાઓ અમદાવાદ આવી છે. પરંતુ 5 મહિલાઓએ જોહરના નિર્ણય પર મક્કમ છે. બીજી તરફ પરશોત્તમ રુપાલાના વિરોદ્ધનો પડઘો સી આર પાટીલના કાર્યક્રમમાં પણ પડ્યો છે. જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો પહોંચીને વિરોદ્ધ કર્યો છે.