પાટીદાર સમાજ દ્વારા પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવાની માગ કરાઈ રહી છે. ત્યારે પાટીદાર સમાજને કોળી સમાજના આગેવાને પણ સમર્થન આપ્યું છે. કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ કહ્યું હતું કે પ્રેમ લગ્ન કરનાર યુવતી પહેલા તેના માતાપિતાની સંમતિ લે પછી જ લગ્ન કરે તેવી પાટીદાર સમાજની માગ યોગ્ય છે.
અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવિણ કોળીએ જણાવ્યુ કે યુવક યુવતીઓ જે ભાગીને લગ્ન કરી લેતા હોય છે તેમા કાયદામાં સુધાર લાવવાની જરૂરિયાત જણાય છે અને પાટીદાર સમાજની આ માગ સાથે કોળી સમાજ પણ ખભેખભો મિલાવીન તેમની સાથે ઉભો છે અને તેમને ટેકો જાહેર કરે છે. પાટીદાર સમાજ દ્વારા પ્રેમ લગ્નના કાયદામાં સુધાર કરવાની માગ સાથે અત્યાર સુધીમાં મહેસાણામાં અને રાજકોટના જસદણમાં રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે અને આગામી દિવસો બોટાદમાં પણ આ પ્રકારની રેલી યોજવાના છે.
પ્રવિણ કોળીએ જણાવ્યુ કે પ્રેમલગ્નના કાયદામાં સુધારો કરવાની પાટીદાર સમાજની માગ યોગ્ય છે. પાટીદાર સમાજે લગ્ન નોંધણી સહિત અને મુદ્દે રેલી યોજી હતી. પાટીદાર સમાજની જેમ કોળી સમાજની પણ એ જ માગ છે.