જુનાગઢ પોલીસ તોડકાંડના આરોપી તરલ ભટ્ટનું ઘર કરાયું સીલ, રિમાન્ડ મેળવ્યા બાદ ATSની ટીમે ઘરની કરી તપાસ

જુનાગઢ પોલીસ તોડકાંડના આરોપી PI તરલ ભટ્ટનું ઘર સીલ કરવામાં આવ્યુ છે. તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ ગુજરાત એટીએસની ટીમે તરલ ભટ્ટને સાથે રાખી ઘરની તપાસ હાથ ધરી હતી. આ તરફ તરલ ભટ્ટની ધરપકડ અંગે પૂછાતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે સોમવારે પોલીસ કેસની સંપૂર્ણ માહિતી આપશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2024 | 12:08 AM

જુનાગઢ પોલીસ તોડકાંડના આરોપી PI તરલ ભટ્ટનું ઘર સીલ કરવામાં આવ્યુ છે. એટીએસએ તરલ ભટ્ટના ઘરને સીલ કરતા પહેલા તેને સાથે ઘરની તપાસ કરી હતી. હાલ તેના અક્ષર ટાઉનશિપમાં આવેલા મકાનને સીલ કરી ફરજમોકુફી અંગેની નોટિસ લગાવવામાં આવી છે. તરલ ભટ્ટના ગુજરાત એટીએસએ 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જો કે આ ઘટનાને લઈને જ્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યુ કે સરકાર અને પોલીસ દ્વારા ત્વરીત પગલા લઈ કાર્યવાહી કરવામાં આવી છે અને આવતીકાલે પોલીસ આ કેસની સંપૂર્ણ માહિતી આપશે.

કોર્ટમાં રિમાન્ડ મંજૂર થયા બાદ એટીએસ આરોપી પીઆઈ તરલ ભટ્ટને લઈને જુનાગઢથી રવાના થઈ હતી. ચાર કલાકની તપાસ બાદ એસઓજી ખાતેથી એટીએસ રવાના થઈ હતી. SOG ક્ર્રાઈમ બ્રાંચનું સાહિત્ય કબ્જે કરાયાની ચર્ચા છે. ઉંડાણપૂર્વકની તપાસ માટે તમામ સાહિત્યની ચકાસણી કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે જુનાગઢ તોડકાંડના માસ્ટર માઈન્ડ PI તરલ ભટ્ટના 7 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. જો કે ATSએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. આ દરમિયાન, તરલ ભટ્ટ પોલીસ તપાસમાં સહકાર ન આપીને ગોળગોળ જવાબ આપતા હોવાનો પણ ATSએ ઉલ્લેખ કર્યો. તરલ હંમેશા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતો. જેને લઇ મોબાઈલમાં સ્ટોર કરેલા નંબરની તપાસ માટે પૂછપરછ કરાશે. રિમાન્ડમાં હવે દુબઈના ક્રિકેટ સટ્ટોડિયા અને બુકીના કનેક્શન મુદ્દે પણ તપાસ કરાશે.

આ પણ વાંચો: Breaking News: જુનાગઢ તોડકાંડના આરોપી તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર, ગુજરાત ATSએ માગ્યા હતા 14 દિવસના રિમાન્ડ

મહત્વનું છે, તરલ ભટ્ટ ગુનાહિત કાવતરૂ રચીને ખોટી રીતે 386 બેંક અકાઉન્ટ ફ્રિજ કરાવી 40થી 50 ટકા રકમની માગ કરતો. તેણે એકાઉન્ટની માહિતી તરલ ભટ્ટે પેનડ્રાઈવમાં છુપાવી હતી. તેના ડેટા રિકવર કરીને FSL તપાસ કરશે. ઉલ્લેખનીય છે, તરલ ભટ્ટનો એક ફોન કબજે કરાયો છે. અન્ય 3 ફોનની તપાસ ચાલુ છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">