Junagadh : આપઘાત કરનાર બેંક મેનેજરની સુસાઇડ નોટ મળી આવી, ઘણા સમયથી સ્ટ્રેસમાં હોવાનો ઉલ્લેખ, જુઓ Video

Junagadh : આપઘાત કરનાર બેંક મેનેજરની સુસાઇડ નોટ મળી આવી, ઘણા સમયથી સ્ટ્રેસમાં હોવાનો ઉલ્લેખ, જુઓ Video

| Edited By: | Updated on: Feb 13, 2024 | 10:26 AM

થોડા દિવસ પહેલા જૂનાગઢની યુનિયન બેંકના મેનેજર સીયારામ પ્રસાદે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.આ ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા હતા.બેંક મેનેજરે બેંકમાં જ એક રેલિંગની નીચે દોરડુ બાંધી ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

જૂનાગઢના યુનિયન બેન્કના મેનેજરનો આપઘાતની સુસાઇડ નોટ મળી આવી છે. આ સુસાઇડ નોટમાં મેનેજરે આપઘાત કરવાનું કારણ જણાવ્યુ છે. બેંક મેનેજર ઘણાં સમયથી સ્ટ્રેસમાં રહેતા હતા.જે પછી તેમણે આ પગલુ ભર્યુ હતુ. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

થોડા દિવસ પહેલા જૂનાગઢની યુનિયન બેંકના મેનેજર સીયારામ પ્રસાદે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.આ ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા હતા.બેંક મેનેજરે બેંકમાં જ એક રેલિંગની નીચે દોરડુ બાંધી ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.આપઘાત કરનારની સુસાઇડ નોટ પણ મળી આવી છે.

આ પણ વાંચો- Kheda : અમદાવાદથી રાજપીપળા જઇ રહેલા 45 જાનૈયાઓને ફુડ પોઇઝનિંગ, નડિયાદ સિવિલમાં દાખલ કરાયા, જુઓ Video

સુસાઇડ નોટમાં તેમને બેંકમાં આવતા ટાર્ગેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.અસંભવ ટાર્ગેટના કારણે તેઓ સ્ટ્રેસમાં રહેતા હતા.આ સુસાઇડ નોટમાં તેમના મોત બાદ તેમની પત્ની અને બાળકોનું ધ્યાન રાખવા અંગે જણાવવામાં આવ્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો