AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh: વાંદરવડ ગામના ખેડૂતના આપઘાત મામલે સહકારી મંડળીના મંત્રી સામે નોંધાઈ ફરિયાદ- Video

Junagadh: વાંદરવડ ગામના ખેડૂતના આપઘાત મામલે સહકારી મંડળીના મંત્રી સામે નોંધાઈ ફરિયાદ- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2023 | 1:15 PM
Share

Junagadh: ભેંસાણમાં ખેડૂતના આપઘાત મામલે ફરિયાદ નોંધાઈ છે. વાંદરવડ ગામની સહકારી મંડળીના મંત્રી સામે ફરિયાદ નોંધાઈ છે. સહકારી મંડળીના મંત્રીએ ખોટી રીતે ખેડૂતને ધિરાણની નોટિસ ફટકારતા ખેડૂતે આપઘાત કર્યો હોવાનુ તપાસમાં સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Junagadh: જુનાગઢના ભેસાણમાં 10 સપ્ટેમ્બરે ખેડૂતે આપઘાત કર્યો હતો. આ કેસમાં પોલીસે વાંદરવડ સહકારી મંડળીના મંત્રી સામે ફરિયાદ નોંધી છે. આક્ષેપ છે, કે સહકારી મંડળીના મંત્રીએ નાગજીભાઇ નામના ખેડૂતને ખોટી રીતે ધિરાણની નોટિસ ફટકારી હતી. 5 લાખ 40 હજારનું ધિરાણ બાકી હોવાની નોટિસ મળતા ખેડૂતે આપઘાત કર્યો હતો. જે બાદ છગન સોલંકી નામના વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ કરી. ખેડૂતના આપઘાતના એક મહિના બાદ પોલીસે સહકારી મંડળીના પ્રમુખ સામે ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો : Ahmedabad : કેન્દ્ર સરકારે ફાર્મસી એક્ટને બનાવ્યો વધુ કડક, દવાની દુકાન ચલાવવા ભાડેથી સર્ટિફિકેટ આપ્યુ હશે તો થશે 1 લાખનો દંડ- Video

અગાઉ પણ મંડળીના મંત્રી સામે નોંધાઈ ચુકી છે ફરિયાદ 

ઉલ્લેખનીય છે, વાંદરવડ સહકારી મંડળીના મંત્રી અને પ્રમુખ સામે અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાઇ ચૂકી છે. અગાઉ મંત્રી અને પ્રમુખે રૂપિયા 5 કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જો કે પોલીસે હવે નોટિસ અને ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 08, 2023 01:39 PM
g clip-path="url(#clip0_868_265)">