જામનગરના બેડેશ્વર વિસ્તારમાં 80 મકાનોમાં ભરાયા વરસાદી પાણી, લોકોએ રાત બહાર વિતાવવી પડી- Video

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં વોર્ડ નંબર 1માં વરસાદી પાણી ભરાયા છે. સ્થિતિ એટલી હદે વિકટ બની છે કે લોકોના ઘરોમાં ગોઠણસમા પાણી ભરાયા છે. ગત રાત્રિથી જ પાણી ભરાયા હોવાથી લોકો આખી રાત જાગવા મજબુર બન્યા હતા.

| Edited By: | Updated on: Sep 29, 2025 | 2:42 PM

જામનગર શહેરમાં આવેલા બેડેશ્વર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ગઈકાલ રાત્રિથી લોકોના ઘરોમાં ગોઠણસમા પાણીનો ભરાવો થયો છે જેના કારણે આખી રાત લોકોએ જાગીને પસાર કરવી પડી હતી. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રેલવે ટ્રેકનું કામ ચાલુ હોવાથી પાણીના નિકાલ માટેની કોઈ જગ્યા બચી નથી. જેના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે. લોકો

બેડેશ્વરના વૈશાલીનગરના પાછળનો વિસ્તાર પાણી-પાણી થયો છે. આ વિસ્તારમાં આવેલા અંદાજિત 80 જેટલા ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો હાલાકી વેઠવા મજબુર બન્યા છે. ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ જ રાહત બચાવ માટેની કે પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવતી નથી. લોકોની તમામ ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યુ છે, ખાવા-પીવાની ચીજવસ્તુઓ પણ પલળી જતા લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે.

ગીર સોમનાથના કોડિનારમાં 10 ઈંચ તો સૂત્રાપાડામાં ખાબક્યો 8 ઈંચ વરસાદ, ઠેર-ઠેરથી સામે આવ્યા તારાજીના દૃશ્યો- Video

Follow Us