Ahmedabad : ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ, હાઈકોર્ટે પ્રજ્ઞેશ પટેલની હંગામી જામીન અરજી ફગાવી, જુઓ Video

|

Sep 12, 2023 | 11:56 PM

સરકારી વકીલ જણાવ્યું હતું કે પ્રજ્ઞેશ પટેલે 4 સપ્ટેમ્બરે તબિયત સારી ન હોવાની વાત કરી હતી. તેથી ગ્રામ્ય કોર્ટે કેન્સર હોસ્પિટલમાં તપાસ કરાવવા જણાવ્યું હતું. જે બાદ 8 સપ્ટેમ્બરે તપાસ માટે કેન્સર હોસ્પિટલ જવાનો પણ પ્રજ્ઞેશ પટેલે ઈનકાર કર્યો હતો. તપાસ માટે હોસ્પિટલ ન જતાં તબીબી દસ્તાવેજો રેકોર્ડ પર ન આવતા કોર્ટે અરજી ફગાવી છે.

ISKCON Bridge Accident Case : અમદાવાદના ઈસ્કોન ઓવરબ્રિજ (ISKCON Bridge) પર અકસ્માત સર્જી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ હાલ જેલમાં બંધ છે. ત્યારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલે કોર્ટમાં હંગામી જામીન અરજી કરી હતી. જેને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. ગ્રામ્ય કોર્ટના ઓર્ડર છતાં તપાસ માટે કેન્સર હોસ્પિટલ જવાનો પ્રજ્ઞેશ પટેલે ઈનકાર કર્યો હતો. તેથી કોર્ટે હંગામી જામીન અરજી ફગાવી છે.

આ પણ વાંચો Ahmedabad: મુખ્યપ્રધાન શહીદ મહિપાલસિંહના પરિવારને મળ્યા, 1 કરોડ રૂપિયાની સહાયનો ચેક કર્યો અર્પણ, જુઓ Video

સરકારી વકીલ જણાવ્યું હતું કે પ્રજ્ઞેશ પટેલે 4 સપ્ટેમ્બરે તબિયત સારી ન હોવાની વાત કરી હતી. તેથી ગ્રામ્ય કોર્ટે કેન્સર હોસ્પિટલમાં તપાસ કરાવવા જણાવ્યું હતું. જે બાદ 8 સપ્ટેમ્બરે તપાસ માટે કેન્સર હોસ્પિટલ જવાનો પણ પ્રજ્ઞેશ પટેલે ઈનકાર કર્યો હતો. તપાસ માટે હોસ્પિટલ ન જતાં તબીબી દસ્તાવેજો રેકોર્ડ પર ન આવતા કોર્ટે અરજી ફગાવી છે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video