Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ધોરાજીમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં આક્રોશ, ખેતરમાં પાક ચરવા પશુઓ મૂક્યા

Rajkot: ધોરાજીમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં આક્રોશ, ખેતરમાં પાક ચરવા પશુઓ મૂક્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 5:20 PM

વાવેતર સમયે એક વીઘા દીઠ 25 હજારનો ખેડૂતોએ ખર્ચ કર્યો છે પરંતુ આ ખર્ચ ખેડૂતોના માથે પડયો છે.આ ઉપરાંત ગુજરાતમાં ડુંગળીનું વિપુલ ઉત્પાદન કરતાં જિલ્લા ભાવનગરમાં પણ ડુંગળીના ભાવને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ મળ્યા નથી, જેના લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

ગુજરાતના (Gujarat) મોટાભાગના જિલ્લાઓમાં આ વર્ષે ડુંગળીનું (Onion) વિપુલ ઉત્પાદન થયું છે. જેના પગલે ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ નથી મળી રહ્યા.જેમાં
પાકના પૂરતા ભાવ ન મળતા જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો છે. જેમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ ખેતરમાં પશુ ચરવા મૂકયા છે. રાજકોટના ધોરાજીમાં  (Dhoraji)ખેડૂતે તૈયાર પાકમાં પશુને ચરવા મુકી દીધા છે.હાલ ખેડૂતોને ડુંગળીના પ્રતી મણના 80 થી100 રૂપિયા મળી રહ્યા છે..જેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે..વાવેતર સમયે એક વીઘા દીઠ 25 હજારનો ખેડૂતોએ ખર્ચ કર્યો છે પરંતુ આ ખર્ચ ખેડૂતોના માથે પડયો છે.આ ઉપરાંત ગુજરાતમાં ડુંગળીનું વિપુલ ઉત્પાદન કરતાં જિલ્લા ભાવનગરમાં પણ ડુંગળીના ભાવને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ મળ્યા નથી, જેના લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

ભાવનગર જિલ્લો ગુજરાતમાં ડુંગળીનું કુલ 67 ટકા ઉત્પાદન કરે છે

ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લો ગુજરાતમાં ડુંગળીનું કુલ 67 ટકા ઉત્પાદન કરે છે ત્યારે આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થવા પામેલ છે. જો કે આ વર્ષે ખેડૂતો એ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હોવા છતાં વીઘા દીઠ ડુંગળીનો ઉતારા ઓછા આવ્યો છે. આમ છતાં ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને મહુવાના માર્કેટિંગ યાર્ડ માં મબલખ ડુંગળી ની આવક થઈ રહી છે. પરંતુ કરુણતાની વાત એ છે કે ડુંગળીના ભાવ સાવ તળિયે જતા ભાવનગર જિલ્લાનો ડુંગળી પકવતો ખેડૂત સાવ પાયમાલ થઈ જવા પામેલ છે.

આ પણ વાંચો : Surat : દુષ્કર્મની ઘટનાઓ મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન, “દુષ્કર્મની ઘટનાઓ માટે મોબાઈલમાં મળતું સાહિત્ય જવાબદાર”

આ પણ વાંચો :  Ahmedabad: અરવિંદ કેજરીવાલે કર્યો મિશન ગુજરાતનો પ્રારંભ, ભગવત માન સાથે કરી ગાંધી આશ્રમની મુલાકાત, કહ્યું ”આશ્રમમાં આવીને શાંતિનો અનુભવ થયો”

g clip-path="url(#clip0_868_265)">