ગુજરાતમાં આજે કોરોનાના નવા 12,131 કેસ નોંધાયા, 30ના મોત

|

Jan 28, 2022 | 11:33 PM

ગુજરાતમાં આજે કોરોનાના નવા 12,131 કેસ નોંધાયા છે. આ સાથે રાજયમાં કોરોનાના કારણે 30ના મોત થયાના અહેવાલો સામે આવી રહ્યાં છે. કોરોનાના કેસમાં જોકે ધીમેધીમે ઘટાડો નોંધાઇ રહ્યો છે જે રાહતની વાત છે. પરંતુ, કોરોનાથી મોતની સંખ્યા વધી રહી છે. તે ચિંતાનો વિષય છે.

ગુજરાતમાં (Gujarat) આજે કોરોનાના (corona) નવા 12,131 કેસ નોંધાયા છે. આ સાથે રાજયમાં કોરોનાના કારણે 30ના મોત (death) થયાના અહેવાલો સામે આવી રહ્યાં છે. કોરોનાના કેસમાં જોકે ધીમેધીમે ઘટાડો નોંધાઇ રહ્યો છે જે રાહતની વાત છે. પરંતુ, કોરોનાથી મોતની સંખ્યા વધી રહી છે. તે ચિંતાનો વિષય છે.

રાજયમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના સંક્રમણની ગતિ મંદ પડી રહી છે. પરંતુ મૃત્યુઆંકમાં મોટો ઉછાળો નોંધાયો છે. રાજ્યમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 12131 નવા કેસ સામે આવ્યા. તો ત્રીજી લહેરમાં કોરોનાથી સૌથી વધુ 30 દર્દીના નિધન થયા. અમદાવાદ શહેરમાં સૌથી વધારે 4046 કોરોના કેસ સામે આવ્યા તો 7 દર્દીઓના નિધન થયા. વડોદરા શહેરમાં કોરોનાના 1999 કેસ નોંધાયા.અને 3 દર્દીનાં મૃત્યુ થયા. જ્યારે રાજકોટ શહેરમાં 958 નવા કેસ સાથે 4 દર્દીના નિધન થયા. સુરત શહેરમાં સંક્રમણમાં મોટો ઘટાડો નોંધાયો. સુરત શહેરમાં કોરોનાના નવા 628 કેસ સામે આવ્યા. તો 1 દર્દીનું નિધન થયું. પાટણમાં 286 અને કચ્છમાં 206 કોરોના કેસ નોંધાયા. તો બનાસકાંઠા અને મહેસાણામાં 157 કોરોના દર્દી મળ્યાં. ગુજરાતમાં પાછલા 24 કલાકમાં નવા કેસ કરતા વધારે 22070 દર્દી સાજા થયા. રાજ્યમાં હાલ કોરોનાના 1 લાખ 7 હજાર 915 એક્ટિવ કેસ છે. જે પૈકી વેન્ટીલેટર પરના દર્દી ઘટીને 297 થઈ ગયા છે. રાજ્ય સરકારે કોરોના સંક્રમણની સ્થિતિને જોતા તમામ પ્રતિબંધો 4 ફેબ્રુઆરી સુધી યથાવત્ રાખ્યા છે.

ગુજરાતના મહાનગરોમાં કોરોનાના કેસની સંખ્યા

 

આ પણ વાંચો : ગુજરાતના 8 મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રિ કર્ફયૂનો અમલ 4થી ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે

આ પણ વાંચો : રાજકોટ: RMCની તિજોરીમાં વેરાની આવકમાં મોટું ગાબડું, સરકારી મિલકતનો 75.86 કરોડનો વેરો બાકી

Published On - 7:57 pm, Fri, 28 January 22

Next Video