Sabarmati River : અમદાવાદમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ, સાબરમતી નદીમાં વધુ એક વખત છોડાયું કેમિકલ યુક્ત પાણી

અમદાવાદમાં ચોમાસા દરમિયાન સાબરમતી નદી વધારે પ્રદૂષિત બની રહી છે. કારણે કે વરસાદનો ફાયદો ઉઠાવીને પ્રદૂષણ માફિયા ઉદ્યોગકારો કોઈના ડર વિના કેમિકલયુક્ત પાણી સાબરમતીમાં છોડી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2023 | 12:14 PM

Sabarmati River : અમદાવાદમાં (Ahmedabad) ચોમાસા દરમિયાન સાબરમતી નદી વધારે પ્રદૂષિત બની રહી છે. કારણે કે વરસાદનો ફાયદો ઉઠાવીને પ્રદૂષણ માફિયા ઉદ્યોગકારો કોઈના ડર વિના કેમિકલયુક્ત પાણી સાબરમતીમાં છોડી રહ્યા છે. જેની અસર ખેતરો પર થઈ રહી છે, અને તેમાંથી આવતાં કેમિકલવાળા શાકભાજીની અસર આપણા સ્વાસ્થ્ય પર થઈ રહી છે.

આ પણ વાંચો Ahmedabad: આધુનિક સાવિત્રી ! બ્રેઈનડેડ પતિના અંગોના અંગદાન થકી ત્રણ લોકોને બક્ષ્યુ નવજીવન

આ પાણીને કારણે બહેરામપુરા અને દાણીલીમડાના અનેક ખેતરોમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. તો બીજી તરફ સુએજ ફાર્મ ગુલાબનગર વિસ્તારના લોકોની હાલત પણ કફોડી બની છે. ત્યારે આ બેફામ પ્રદૂષણ માફિયાઓ સામે જલ્દીથી પગલાં ભરવામાં આવે તે જરૂરી છે, નહિતર સાબરમતીના અસ્તિત્વ પર સંકટ આવી શકે છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">