ગુજરાતી 21 મુસાફરો પરત ઘરે પહોંચતા એક રીતે મોટી રાહત પરિવારજનોને થઈ છે. પરંતુ બીજી તરફ હવે સીઆઈડી ક્રાઈમ દ્વારા રજેરજની વિગતો તેમની મુસાફરી અને તેમના ઈરાદા સહિતની મેળવવામાં આવી રહી છે. સીઆઈડી દ્વારા 6 એજન્ટોની ઓળખ થતા તેમની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
જોકે અત્યાર સુધીમાં 21 મુસાફરો પરત ફર્યા છે, પરંતુ આશંકા 90 ગુજરાતી મુસાફરોની છે. જેને લઈ અન્ય મુસાફરોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે, જેમાં તેઓનો સંપર્ક નહીં થતો હોવાની વિગતનો લઈ હવે આશંકા સર્જાઈ છે કે, આ મુસાફરો ભૂગર્ભમાં ઉતર્યા કે પછી પૂછપરછની કાર્યવાહી હેઠળ છે. મુંબઈ ઉતર્યા બાદ તમામ મુસાફરોને લઈ કોઈ જ સત્તાવાર ખુલાસાઓ સામે આવ્યા નથી. આમ હવે પ્લેનમાં ગુજરાતીઓની સંખ્યા સંપૂર્ણ રીતે કેટલી હતી એ અંગેની વિગતો મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Published On - 4:02 pm, Wed, 27 December 23