રાજ્યમાં અવારનવાર ગેરકાયદે ગેસ રીફિલિંગની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં નિયમો નેવે મુકીને કોઈપણ પ્રકારની સુરક્ષા વગર ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અમરોલી વિસ્તારની વાળીનાથ સોસાયટીમાં પોલીસના દરોડા પાડ્યા હતા. જ્યાં બે દુકાનમાંથી ગેરકાયદે ગેસ રીફિલિંગ થતુ હોવાનું સામે આવ્યું છે.
સુરત પોલીસે 2 આરોપીને ઝડપી લીધા છે. એટલું જ નહીં પોલીસે આરોપીઓની સાથે 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે. સેફ્ટી વગર આડેધડ ગેસ રીફિલીંગ કરનારા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે સુરતમાં તાજેતરમાં ગેસ રીફિલિંગના અલગ-અલગ ત્રણ કિસ્સામાં કુલ પાંચ લોકોના મોત થયા હતા.