રાજ્યભરમાં સતત અકસ્માતની ઘટના જોવા મળે છે. આવી જ એક અકસ્માતની ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદના SG હાઇવે પર કર્ણાવતી કલબ સામે મોડીરાત્રે ટ્રક પલટાતા ભયંકર અકસ્માત સર્જોયો હતો. ફાર્મા કંપનીની મશિનરી લઈને જતો ટ્રક સાઈન બોર્ડ સાથે અથડાતા પલટાયો હતો.
ટ્રક ડ્રાઈવરને રોડ પર લગાવેલા જાહેરાત બોર્ડની ઊંચાઈનો અંદાજ ન આવતા આ ઘટના બની હતી. ટ્રક પલટી ખાતા મોંઘા ભાવની મશીનરીઓનો સામાન રોડ પર વિખેરાયો હતો. અકસ્માતમાં ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી છે. જેમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતની જાણ થતા પોલીસ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળ પર બેરિકેટ્સ મુક્યા હતા.
થોડા દિવસ અગાઉ જામનગરમાં સ્કૂલ બસ અને મનપાના વાન વચ્ચે અકસ્માત થયો હતો. બસમાં 30 બાળકો હતા સવાર હતા. રાહતની વાત એ હતી કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ પહેલા પણ જામનગરમાં ત્રણ દિવસમાં બે સ્કૂલ બસના અકસ્માતો સામે આવ્યા હતા. અગાઉ નરારા ટાપુ પ્રવાસે જઈ રહેલા સ્કૂલ બસ રસ્તા પરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો અને બસમાં સવાર વિધાર્થી બાળકોને નાની મોટી ઇજાઓ થઈ હતી.