ડુંગળી ખરીદવાના નાફેડના નિર્ણયને ગુજરાત સરકારે આવકાર્યો છે. રાજ્યના કૃષિપ્રધાને TV9 સાથેની વાતચીતમાં નાફેડના નિર્ણયને ખેડૂતલક્ષી ગણાવ્યો હતો. રાઘવજી પટેલનું માનવું છે કે નાફેડના નિર્ણયથી સૌરાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતો લાભ સાથે ભાવમાં મોટી રાહત મળશે.કૃષિપ્રધાને દાવો કરતા સ્પષ્ટતા કરી કે,જ્યાં સુધી ખેડૂતોને ડુંગળીમાં પોષણક્ષમ ભાવો નહીં મળે ત્યાં સુધી નાફેડ ખરીદી કરશે. તો રાઘવજી પટેલે દાવો કર્યો કે પ્રાયોગિક ધોરણે સૌરાષ્ટ્રના 3 કેન્દ્રો પરથી આવતીકાલથી ડુંગળીની ખરીદી કરવામાં આવશે અને જરૂર જણાશે તો આગામી દિવસોમાં ડુંગળીની ખરીદી માટે વધુ કેન્દ્રો શરૂ કરાશે.
ડુંગળી પકવતા ખેડૂતોને રાજય સરકારના ટેકા બાદ નાફેડ વ્હારે આવ્યું છે. નાફેડ ગુજરાતમાં ડુંગળીની ખરીદી કરશે.કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ નાફેડ ડુંગળીની ખરીદી કરશે.ભાવનગર, ગોંડલ, પોરબંદર APMCમાંથી આજથી ડુંગળીની ખરીદી કરવામાં આવશે.નાફેડ દ્વારા ખેડૂતોને પેમેન્ટ ઓનલાઇન ચૂકવણી કરવામાં આવશે. રાજય સરકાર બાદ નાફેડના નિર્ણયથી રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતોને મોટી રાહત મળશે. રાજય સરકારે ખેડૂતોને પ્રતિ કિલો ડુંગળીએ 2 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.ડુંગળી માટે 90 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.ત્યારે કેન્દ્રના નિર્ણયને NHRDFના ડાયરેક્ટરે આવકારી હતી.
આ પણ વાંચો : Breaking News: ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો, નવા 23 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 100ને પાર
Published On - 11:02 pm, Wed, 8 March 23