Gujarati Video : પાકિસ્તાને જેલમાંથી ગુજરાતના 172 સહિત 200 માછીમારો મુક્ત કર્યા

|

Jun 02, 2023 | 7:30 AM

આ માછીમારોનું 4 વર્ષ બાદ પરિવાર સાથે મિલન થશે.જે બાદ પણ દીવના હજુ 26 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. માછીમાર અગ્રણીઓ પાકિસ્તાની જેલમાં બંધ દીવના 26 માછીમારોને કેન્દ્ર સરકાર વહેલી તકે મુક્ત કરાવે તેવી માગ કરી રહ્યાં છે

Gandhinagar : પાકિસ્તાને(Pakistan) જેલમાંથી બીજા તબક્કામાં ગુજરાતના(Gujarat)  172 સહિત 200 માછીમારો (Fisherman)  મુક્ત કર્યા છે. જેમાં દીવના 15 માછીમારો છે. જેમાં પાકિસ્તાનની મરીન સિક્યોરિટીએ 2018થી 2020 દરમિયાન તમામ માછીમારોને ઝડપી પાડ્યા હતા.આ માછીમારોનું 4 વર્ષ બાદ પરિવાર સાથે મિલન થશે.જે બાદ પણ દીવના હજુ 26 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. માછીમાર અગ્રણીઓ પાકિસ્તાની જેલમાં બંધ દીવના 26 માછીમારોને કેન્દ્ર સરકાર વહેલી તકે મુક્ત કરાવે તેવી માગ કરી રહ્યાં છે .

પાકિસ્તાની જેલમાં બંધક વધુ 200 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. આ માછીમારો વાઘા બોર્ડર પહોંચશે અને ત્યારબાદ ટ્રેન દ્વારા વતન આવશે.

 

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:23 am, Fri, 2 June 23

Next Video