Gujarati Video : ગ્રેડ-પે મુદ્દે કોર્ટમાં કેસ કરવાના નામે 400 શિક્ષકો પાસે 7-7 હજાર ઉઘરાવાનો કેસ, શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા
Surat News : શિક્ષણ સમિતિમાં 4 હજારથી વધુ શિક્ષકો છે. જેમાંથી 1500થી વધુ શિક્ષકોને ગ્રેડ-પેનો લાભ મળ્યો નથી. જેના કારણે શિક્ષકોને 8થી 12 લાખના એરિયર્સનું નુક્સાન થયું છે. આ શિક્ષકો કોર્ટમાં કેસ કરવાના હતા.
સુરતમાં ગ્રેડ-પે મુદ્દે કોર્ટમાં કેસ કરવાના નામે 400 શિક્ષકો પાસેથી રૂપિયા 7-7 હજાર ઉઘરાવવાના પ્રકરણમાં શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. શિક્ષણ સમિતિના અધ્યક્ષે આ મામલે તપાસ કરવાની ખાતરી આપી છે. શિક્ષણ સમિતિમાં 4 હજારથી વધુ શિક્ષકો છે. જેમાંથી 1500થી વધુ શિક્ષકોને ગ્રેડ-પેનો લાભ મળ્યો નથી. જેના કારણે શિક્ષકોને 8થી 12 લાખના એરિયર્સનું નુક્સાન થયું છે.
આ પણ વાંચો-Rahul Gandhi: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અપીલ સેશન્સ કોર્ટે ફગાવી, કોંગ્રેસ નેતા હવે આગળ શું કરશે?
સુરત શિક્ષણ સમિતિના આ શિક્ષકો કોર્ટમાં કેસ કરવાના હતા. જેના માટે શિક્ષક દીઠ 7 હજાર વસૂલવામાં આવ્યા હતા. કુલ 28 લાખ રૂપિયા એકઠા થયા હતા. આ મામલે શિક્ષકોના જ બે ગ્રૂપમાં ફાંટા પડતાં હવે શિક્ષણ સમિતિના અધ્યક્ષે શાસનાધિકારીને તેની નોંધ મૂકી છે. સાથે જ શિક્ષકોને આ રીતે પૈસા ન ચૂકવવાની અપીલ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
