Gujarati Video : અંબાજી પંથકમાં વાતાવરણમાં પલટો, હળવા વરસાદથી ખેડૂતો ચિંતીત

ગુજરાતના વાતાવરણમાં બે દિવસમાં જ મોટો ફેરફાર નોંધાશે . હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 48 કલાક વાતાવરણ સૂકું તેમજ વાદળછાયું રહેશે. તેમજ તારીખ 5 , 6 અને માર્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં યાળા-ઉનાળાની ડબલ ઋતુ વચ્ચે હવામાન ખાતાએ માવઠાની આગાહી કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 6:08 PM

ગુજરાતના વાતાવરણમાં બે દિવસમાં જ મોટો ફેરફાર નોંધાશે. હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 48 કલાક વાતાવરણ સૂકું તેમજ વાદળછાયું રહેશે. તેમજ તારીખ 5 , 6 અને માર્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં યાળા-ઉનાળાની ડબલ ઋતુ વચ્ચે હવામાન ખાતાએ માવઠાની આગાહી કરી છે. ત્યારે અંબાજી પંથકના વાતાવરણમાં પણ બપોર બાદ પલટો જોવા મળ્યો હતો.દિવસ દરમિયાન ભારે ગરમી બાદ હળવા વરસાદી છાંટા પડ્યા હતા.. જો કે વાતાવરણ બદલાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

હાલમાં 2 થી 5 ડિગ્રી સામાન્ય કરતા વધુ તાપમાન રહેશે: હવામાન વિભાગ

ગરમી અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે જો ગરમીની વાત કરવાાં આવે તો હાલમાં 2થી 5 ડિગ્રી તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે. પરંતુ ત્યાર બાદ વાતાવરણમાં ફેરફાર નોંધાશે અને કમોસમી વરસાદ થશે. હાલ હિટવેવની કોઈ આગાહી નથી.

સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા. સાબરકાંઠા દક્ષિણ ગુજરાતમાં સુરત , વલસાડ અને નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે વેર્સ્ટન ડિસ્ટર્બન્સ તથા ઇસ્ટરલી ટ્રફ ને કારણે કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ થશે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વાદળ બંધાયા બાદ કચ્છ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરત, વલસાડ અને નવસારીમાં કમોસમી વરસાદ થવાની આશા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સાઇકલોનિક સર્ક્યુલેશન રાજસ્થાન તરફ છે જેના કારણે વાતાવણમાં પરિવર્તન આવશે. અને ભેજના કારણે વરસાદ પણ થઈ શકે છે.

આ પણ વાંચો : Surat : દારૂના ધંધાની હરિફાઇને લઇ ખેલાયો ખુની ખેલ, બે યુવકની થઈ હત્યા, બેની હાલત ગંભીર, જુઓ Video

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">