Gujarati Video : અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવા મુદ્દે હવે ખેડા બ્રહ્મસમાજ પણ મેદાનમાં
Ambaji Prasad Kheda

Gujarati Video : અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવા મુદ્દે હવે ખેડા બ્રહ્મસમાજ પણ મેદાનમાં

| Edited By: | Updated on: Mar 11, 2023 | 11:36 PM

ગુજરાતમાં શકિતપીઠ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવા મુદ્દે હવે ખેડા બ્રહ્મસમાજ પણ મેદાનમાં આવ્યો છે. બ્રહ્મસમાજના આગેવાનોએ જો પ્રસાદના નિર્ણયમાં ફેરબદલ નહીં કરાય તો અંબાજી મંદિરમાં આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. બ્રહ્મસમાજે અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ તાત્કાલિક ચાલુ કરવા મંદિરના વહીવટદાર અને કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી છે.

ગુજરાતમાં શકિતપીઠ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવા મુદ્દે હવે ખેડા બ્રહ્મસમાજ પણ મેદાનમાં આવ્યો છે. બ્રહ્મસમાજના આગેવાનોએ જો પ્રસાદના નિર્ણયમાં ફેરબદલ નહીં કરાય તો અંબાજી મંદિરમાં આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. બ્રહ્મસમાજે અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ તાત્કાલિક ચાલુ કરવા મંદિરના વહીવટદાર અને કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી છે.

આ ઉપરાંત, અંબાજીમાં મોહનથાળ બંધ કરવાના મામલે મંદિર પરિસરના વેપારીઓ પણ નારાજગી વ્યક્ત કરી છે. વેપારી હોય કે શ્રધ્ધાળુ તમામ લોકોએ એક જ મત આપ્યો કે, પ્રસાદ સ્વરૂપે મોહન થાળ ફરીથી શરૂ કરવો જોઈએ, ચીકીના પ્રસાદ સામે કોઈને વાંધો નથી પરંતુ મોહનથાળના પ્રસાદ સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. અંબાજીના પ્રસાદ વિવાદ મુદ્દે વિરોધનો વંટોળ વધુ શરૂ થયો છે. અંબાજીના પ્રસાદને લઈ વિધાનસભા ગૃહમાં પણ કોંગ્રેસે હોબાળો કર્યો હતો.

તો બીજી તરફ આજે અંબાજીના વેપારીઓ બંધ પાળીને વિરોધ દર્શાવવા અનુરોધ કર્યો છે. સાથે જ વિશ્વ હિંદુ પરિષદ પણ વિરોધ પ્રદર્શન સાથે ધરણા કરશે. અંબાજીમાં મોહનથાળના પ્રસાદને બદલે ચીકીનું વિતરણ થતા ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. જેને લઈ ભક્તો, રાજકીય આગેવાનો સહિત સ્થાનિકો બાદ હવે વેપારીઓ પણ વિરોધમાં જોડાયા છે. રાજ્ય સરકારે પણ ટ્રસ્ટનો નિર્ણય ગણાવી પીછેહટ કરી છે. એવામાં પ્રસાદી વિવાદનો વિરોધ વધુ વકરી તેવી શક્યતા છે.