રાજ્યભરમાં આજથી નવી જંત્રીનો અમલ થવા જઈ રહ્યો છે. નવી જંત્રીમાં રહેણાક મકાનો માટે જંત્રીનો દર હવે 1.8 ગણો વસૂલવામાં આવશે. ખેતી અને બિનખેતી જમીનમાં જંત્રી દર બે ગણો રખાશે. તેમજ ઓફિસના દસ્તાવેજો માટે જંત્રી બે ગણાને બદલે 1.5 ગણી રહેશે. દુકાનની જંત્રીના ભાવમાં 2 ગણો વધારો કરાયો છે.
નવી જંત્રી મુજબ ખેતીથી-ખેતી 25 ટકાના બદલે 20 ટકા પ્રિમિયમ લેવાનું તેમજ ખેતીથી-બિનખેતી 40 ટકાને બદલે 30 ટકા પ્રિમિયમ લેવાનું નક્કી કરાયું છે. સરકારે ગત 4 ફેબ્રુઆરીએ જંત્રીમાં બમણો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. હવે સરકારે જુદા જુદા બાંધકામ અને જમીન માટે જંત્રીના ભાવ જાહેર કર્યા છે. રાહતની વાત એ છે કે એફોર્ડેબલ ઘર મોંઘા નહીં થાય. જોકે 3 બેડરૂમથી મોટા મકાનોની કિંમતમાં 10થી 20 ટકાનો વધારો થઇ શકે છે. 11 વર્ષ બાદ જંત્રીના ભાવમાં વધારો થયો છે.
આ પણ વાંચો : Gujarat Video: જંત્રીના ભાવમાં સરકારે આપી આંશિક રાહત, વાંચો રહેણાંક અને વ્યવસાયિક જંત્રીના શું રહેશે ભાવ
જંત્રીના દરો કેવી રીતે અને કેટલા દરથી અમલમાં આવશે એ અંગેની સ્પષ્ટતા સાથેની વિગતો
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…