Gujarati Video : ધોરાજીમાં ફરી એકવાર જાતિવાદનું ઝેર ફેલાયું, બાઇક પાર્ક કરવા જેવી બાબતે પરિવારના 4 સભ્યો પર હુમલો
ભોગ બનનાર પરિવારનો આરોપ છે કે અમે બાઇક પાર્ક કરવા માટે અપીલ કરી હતી. પરંતુ અમે વાલ્મીકી સમાજના હોવાથી બે શખ્સોએ તેમના પર હુમલો કર્યો. એટલું જ નહીં બે બાળકો પર પણ દયા ના આવી અને હુમલો કર્યો હતો.
Rajkot : રાજકોટના ધોરાજીમાં ફરી એકવાર જાતિવાદનું ઝેર ફેલાયું છે. ફરી જાતિવાદને લઇ એક પરિવાર પર હુમલો કરાયો છે. ધોરાજીના મેઇન બજાર ચોક વિસ્તારમાં અજાણ્યા દંપતીએ માત્ર બાઇક પાર્ક કરવા જેવી નજીવી બાબતે પરિવારના ચાર સભ્યો પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યુ છે. પતિ-પત્ની અને બે બાળકો પર બે લોકોએ હુમલો કર્યો હતો.
આ પણ વાંચો- Ahmedabad: પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા અમદાવાદ-હિંમતનગર રેલ વિભાગનું કરવામાં આવ્યું નિરીક્ષણ
હુમલાનો ભોગ બનાનાર ચારેય લોકોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા છે. ભોગ બનનાર પરિવારનો આરોપ છે કે અમે બાઇક પાર્ક કરવા માટે અપીલ કરી હતી. પરંતુ અમે વાલ્મીકી સમાજના હોવાથી બે શખ્સોએ તેમના પર હુમલો કર્યો. એટલું જ નહીં બે બાળકો પર પણ દયા ના આવી અને હુમલો કર્યો હતો.
તો બીજી તરફ હુમલાની ઘટના બાદ વાલ્મીકી સમાજમાં રોષ ફેલાયો છે. વાલ્મીકી સમાજે પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આરોપ લગાવ્યો છે. જો પોલીસ ફરિયાદ નહીં નોંધે તો આગામી સમયમાં આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
