Gujarati Video : અમદાવાદના સરખેજમાં પતિના વ્યસનથી કંટાળી પરિણીતાએ કર્યો આપઘાત, દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પોલીસે હાથ ધરી કાર્યવાહી

|

Mar 28, 2023 | 9:29 AM

સુખી લગ્નજીવનના સપના જોઈને સાસરે ગયેલી યુવતીએ પતિની વ્યસનની કૂટેવથી કંટાળીને જીવનનો અંત કર્યો છે. ઘટનાની વાત કરીએ તો જોધપુરમાં રહેતા BJPના સ્થાનિક કોર્પોરેટર અરવિંદ પરમારના પુત્ર જય પરમાર સાથે મૃતક જહાન્વીના લગ્ન થયા હતા.

અમદાવાદના સરખેજમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સુખી લગ્નજીવનના સપના જોઈને સાસરે ગયેલી યુવતીએ પતિની વ્યસનની કૂટેવથી કંટાળીને જીવનનો અંત કર્યો છે. ઘટનાની વાત કરીએ તો જોધપુરમાં રહેતા BJPના સ્થાનિક કોર્પોરેટર અરવિંદ પરમારના પુત્ર જય પરમાર સાથે મૃતક જહાન્વીના લગ્ન થયા હતા.

આ પણ વાંચો : Gujarati Video: અમદાવાદમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટા રેકેટના તાર દુબાઇ સુધી, સટ્ટા કૌભાંડનો આંકડો પહોંચ્યો 5000 કરોડ, વર્ષ 2020થી ચાલતા સટ્ટાની ED કરશે તપાસ

લગ્ન બાદ પતિના દારૂ અને ગુટખાના વ્યસનના કારણે લગ્નજીવનમાં ઝઘડા થતા હતા અને અંતે પરિણીતાએ ઝઘડાથી પરેશાન થઈ પોતાનું જીવન ટૂંકાવ્યું દીધુ છે. પરિણીતાના પિતાએ જણાવ્યું કે જ્હાનવીનો પતિ વારંવાર બીજે લગ્ન કરવાની ધમકી આપતો હતો તથા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. હાલ તો સમગ્ર મામલે સરખેજ પોલીસે આરોપી પતિ જય પરમાર વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેને શોધવા કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં પરિણીતાનો આપઘાત

સુરત ના ડીંડોલી વિસ્તારમાં પરિણીતાએ સાસરિયાંના ત્રાસથી ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. પરિણીતાનો પતિ શિક્ષક છે. લગ્નના સમયે 10 તોલા સોનું આપ્યું હોવા છતા પતિ સહિતના સાસરિયાઓ વધુ પાંચ તોલા સોનું માંગતા હતા. જેથી પરિણીતાએ ગઈકાલે લગ્ન વર્ષગાંઠના દિવસે જ ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. મૃતકના પિતાએ ડીંડોલી પોલીસ મથકે પરિણીતાના પતિ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો દાખલ કર્યો છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video