Ahmedabad: જો તમારે કોઈ બીમારીને લઈને ડાયાલિસિસ કરવાનું રહેતું હોય, તો 14, 15 અને 16 ઓગસ્ટે તમને નહીં મળે શકી PMJAY યોજના હેઠળ ડાયાલિસિસની સેવા. ગુજરાતના નેફ્રોલોજીસ્ટે રાજ્ય સરકાર સામે આંદોલનના મંડાણ કર્યા છે અને આ સામે જાહેરાત કરી છે કે 14 થી 16 ઓગસ્ટ સુધી નેફ્રોલોજીસ્ટ નહીં કરે ડાયાલિસિસ. PMJAY યોજના હેઠળ ડાયાલિસિસની સારવાર નહીં કરે.
આ પણ વાંચો : Ahmedabad: ઘર કંકાસમાં સાસરિયાએ જમાઈને એસિડ પીવડાવી કરી નાખી હત્યા, પત્ની, સાસુ-સસરા સહિતના સામે નોંધાયો ગુનો
રાજ્યના 102 જેટલા તબીબો સરકાર સામેના વિરોધમાં જોડાયા છે. વિરોધ એ વાતનો છે કે PMJAY યોજનામાં ડાયાલિસિસની ફી સરકારે ઘટાડી છે. ડાયાલિસિસના રૂપિયા 2300થી ઘટાડીને 1950 કરતાં વિરોધ વધ્યો છે. બીજી તરફ અન્ય સેવાઓની ફી વધી છે. જેથી રાજ્યભરના નેફ્રોલોજીસ્ટમાં ભારે નારાજગી છે. જો કે, તબીબોએ બાંહેધરી આપી છે કે દર્દીઓને કોઈ તકલીફ નહીં પડે. તબીબો ત્રણ દિવસ ખાનગી પ્રેક્ટિસ ચાલુ રાખશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:49 pm, Sat, 12 August 23