Gujarati Video : જામનગરમાં માછીમારો અને દરિયાઇ પટ્ટીના ગામડાઓને સાવચેત રહેવા અપીલ, જુઓ Video 

|

Jun 08, 2023 | 10:03 AM

તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. તેમજ તમામ તમામ માછીમારો અને દરિયાઈ પટીના ગામડાઓને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે . આ ઉપરાંત ભારે પવન અને વરસાદની આગાહી વચ્ચે જિલ્લા ડીઝાસ્ટર કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે.

Cyclone Biparjoy: અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય(Cyclone Biparjoy) વાવાઝોડાને કારણે ગુજરાતના(Gujarat) દરિયાકાંઠે ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. હાલ બિપરજોય વાવાઝોડું પોરબંદરના દરિયાકાંઠાથી 1 હજાર 50 કિલોમીટર દૂર છે હવામાન વિભાગ પ્રમાણે, હાલ ગુજરાતમાં વાવાઝોડાની કોઈ અસર નથી.

જો કે તેમ છતાં તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. તેમજ તમામ તમામ માછીમારો અને દરિયાઈ પટીના ગામડાઓને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે . આ ઉપરાંત ભારે પવન અને વરસાદની આગાહી વચ્ચે જિલ્લા ડીઝાસ્ટર કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે.

Published On - 10:00 am, Thu, 8 June 23

Next Video