Gujarati Video : છાશવારે કેનાલમાં પડતા ગાબડાંને લઇ કેન્દ્રની ટીમ આવશે બનાસકાંઠાની મુલાકાતે, સિંચાઈના કામોની કરશે સમીક્ષા

જિલ્લામાં સિંચાઈના કામોમાં ગેરરીતિઓને પગલે અને સુજલામ સુફલામમાં પણ ગેરરીતીઓને પગલે કેન્દ્ર સરકારના બે અધિકારીઓની ટીમ 30મે બનાસકાંઠાની મુલાકાતે આવશે અને સિંચાઈના કામોની સમીક્ષા કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 9:38 AM

બનાસકાંઠાના (Banaskantha) વિવિધ વિસ્તારોમાં છાશવારે કેનાલોમાં ગાબડાં પડવાની ઘટનાઓ બને છે. જે કેનાલના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ચાડી ખાય છે. આ અંગે રાજ્ય સરકારમાં થયેલી વારંવારની અરજી અને ફરિયાદોને જોતા તંત્ર હરકતમાં આવ્યું છે. કેનાલોમાં ગાબડાં પડવાની ઘટનાને કેન્દ્ર સરકારની જલ શક્તિ વિભાગે ગંભીરતાથી લીધી છે. જે અંતર્ગત જલશક્તિ વિભાગના અધિકારીઓ આગામી 30 તારીખે બનાસકાંઠા આવશે અને સિંચાઈના કામોની (Irrigation works) સમીક્ષા કરશે.

આ પણ વાંચો-Gujarati Video : રાજકોટના રેસકોર્ષ બાબા બાગેશ્વરધામના કાર્યાલયની શરૂઆત, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જોડાયા

કેન્દ્ર સરકારની ટીમની મુલાકાત પહેલા સ્થાનિક તંત્ર દોડતું થયું છે અને 20 મે સુધી આ તમામ કામો પૂર્ણ કરી દેવાની તાકીદ હાથ ધરી છે. જિલ્લામાં સિંચાઈના કામોમાં ગેરરીતિઓને પગલે અને સુજલામ સુફલામમાં પણ ગેરરીતીઓને પગલે કેન્દ્ર સરકારના બે અધિકારીઓની ટીમ 30મે બનાસકાંઠાની મુલાકાતે આવશે અને સિંચાઈના કામોની સમીક્ષા કરશે. ત્રણ દિવસ સુધી વહીવટી તંત્રને સાથે રાખી અને કામોની સમીક્ષા કરાશે અને ત્યારબાદ આ ટીમ છે એ કેન્દ્ર સરકારને રિપોર્ટ કરશે.

સુજલામ સુફલામ અને જલશક્તિ અભિયાન અંતર્ગત તળાવ અને ખેત તલાવડી ઊંડા કરવાનું કામ થઈ રહ્યું છે. જેથી પાણીનો સંગ્રહ થાય, પરંતુ આ તળાવ ઊંડા કરવાના અને ખેત તલાવડીના કામોમાં ગેરરીતિઓની રાવ ઉઠી છે. બીજી તરફ બનાસકાંઠાના 14 તાલુકામાં નલ સે જલ યોજના અમલી બની છે. છતાં અમુક ગામ એવા છે જ્યાં આ યોજના પહોંચી નથી અથવા પહોંચી છે તો યોગ્ય કામ નથી થયું. નલ સે જલ યોજનામાં પણ ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપ થઈ રહ્યા છે.

નલ સે જલ અને સુજલામ સુફલામ યોજનામાં વહીવટી તંત્ર સિંચાઈ વિભાગનો બચાવ કરી રહી છે અને આંતરિક વિખવાદોના કારણે અથવા તો લોકોની ગેરસમજના કારણે આ યોજના તેમને નથી મળી તેવું બહાનું આગળ ધરાઈ રહ્યું છે. ત્યાં તંત્રનો દાવો છે કે લગભગ આ યોજના પૂર્ણ થઈ ગઈ છે અને તમામ લોકોને લાભ મળી ગયો છે.

 બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના અને તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
g clip-path="url(#clip0_868_265)">