Bhavnagar: ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ યોજના હેઠળ ગેરરીતિ થયાનું સામે આવ્યું છે. જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેનના પતિ અને અન્ય સભ્યોએ સુજલામ સુફલામ જળ સંચય યોજનાના કામ કર્યાનો આરોપ છે. તેના આધારે ગેરરીતિની ફરિયાદના આધારે વિકાસ કમિશનરે તપાસ અહેવાલ પણ મંગાવ્યો છે. પરંતુ, ચાર મહિના પૂરા થયા હોવા છતાં જિલ્લા પંચાયત દ્વારા ભાજપના ચેરમેન અને સભ્ય સામે પગલાં લેવાયા નથી કે તપાસ પુરી થઈ નથી.
જોકે સિંચાઈ વિભાગના અધિકારીના કહેવા પ્રમાણે આ સમગ્ર ઘટના 2022ની છે અને તેમાં કોઈ ગેરરીતિ થયેલી નથી. જો તપાસમાં ગેરરીતિ આવશે તો કડક પગલાં પણ લેવાશે. આ તરફ સિંચાઈ સમિતિના ચેરમેનના પતિએ પણ આરોપો ફગાવી કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થયાની વાત આગળ ધરી છે.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો