Gujarati Video : અમદાવાદના માર્ગો જય રણછોડ માખણ ચોરના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયુ

|

Jun 20, 2023 | 7:30 PM

ભગવાન જગન્નાથ નંદીઘોષ રથમાં, બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં અને ભાઈ બલભદ્ર તાલધ્વજ રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળ્યા છે. દરેક જગ્યાએ તેમનું વાજતે-ગાજતે સ્વાગત કરવામાં આવ્યું.. લોકોએ ઘરઆંગણેથી જ ભગવાનના દર્શનનો લ્હાવો લીધો છે.

Ahmedabad : આજે અષાઢી બીજના પાવન દિવસે અમદાવાદમાં(Ahmedabad)  ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા(Rathyatra)  નીકળી છે. દેશની સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. આ વર્ષોની પરંપરા પ્રમાણે આજે પણ ભગવાન જગન્નાથ નગરજનોને દર્શન આપવા રથમાં બિરાજમાન થઈને નીકળ્યા. જેના પગલે શહેરના દરેક માર્ગો પર જય રણછોડ માખણ ચોરના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયા છે. તેમજ લોકો ઉત્સાહભેર રથયાત્રામાં જોડાઈ રહ્યા છે.

ભગવાન જગન્નાથ નંદીઘોષ રથમાં, બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં અને ભાઈ બલભદ્ર તાલધ્વજ રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળ્યા છે. દરેક જગ્યાએ તેમનું વાજતે-ગાજતે સ્વાગત કરવામાં આવ્યું.. લોકોએ ઘરઆંગણેથી જ ભગવાનના દર્શનનો લ્હાવો લીધો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:06 pm, Tue, 20 June 23

Next Video