Gujarati video : 7 વર્ષ બાદ પ્રવાસી શિક્ષકોની પોલિસી બદલાશે, પ્રવાસી શિક્ષકોના પગાર બમણા થવાની શક્યતા
ગુજરાતમાં 7 વર્ષ બાદ પ્રવાસી શિક્ષકોની પોલિસી બદલાશે. જે મુજબ પ્રવાસી શિક્ષકોના પગાર બમણા થવાની શક્યતા છે. પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ માટે TET-TAT ફરજિયાત થશે.
ગુજરાતમાં (Gujarati) દર વર્ષે સ્કૂલ શરૂ થતા ખાલી પડેલ શિક્ષકોની જગ્યા ઉપર પ્રવાસી શિક્ષકની (Pravasi shikshak) ભરતી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે સ્કૂલ શરૂ થવામાં હજુ થોડો સમય બાકી છે. જો કે આ પહેલા પ્રવાસી શિક્ષકો માટે સારા સમાચાર સામે આવી શકે છે. ગુજરાતમાં 7 વર્ષ બાદ પ્રવાસી શિક્ષકોની પોલિસી બદલાશે. જે મુજબ પ્રવાસી શિક્ષકોના પગાર બમણા થવાની શક્યતા છે. પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ માટે TET-TAT ફરજિયાત થશે.
અત્યાર સુધી પ્રવાસી શિક્ષકો માટે PTC અને B.Ed.નો આગ્રહ રખાતો હતો. જો કે પોલિસી બદલાતા હવે
TET-TAT પરીક્ષામાં ઉત્તીર્ણ થનારાઓને જ પ્રવાસી શિક્ષકની નિમણૂક અપાશે.મહત્વનું છે કે ધોરણ 6 થી 8માં TAT લાગુ થઇ શકે છે.
ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
