Gujarat Video: Surendranagar- ભાસ્કરપરાથી છાબલીને જોડતો પુલ જર્જરિત હાલતમાં, જીવના જોખમે લોકો રસ્તો પસાર કરવા મજબુર
Surendranagar: લખતર તાલુકાના ભાસ્કરપરાથી છાબલીને જોડતો પુલ જર્જરીત હાલતમાં છે. અહીં ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઈ શકે છે, લોકો જીવના જોખમે આ પુલ પરથી પસાર થવા મજબુર બન્યા છે.
Surendranagar: લખતર તાલુકાના ભાસ્કરપરાથી છાબલીને જોડતો પુલ જર્જરિત બન્યો છે. છેલ્લા ઘણા સમયથી પૂલ જર્જરીત થયો છે અને પુલની વચ્ચે ગાબડુ પડ્યુ છે. હાલ પૂલની સ્થિતિ એવી છે કે લોખંડના સળિયા પણ દેખાઈ રહ્યા છે. આ પુલ પરથી રોજ અનેક વાહનો પસાર થાય છે તેમજ ખેડૂતોને આવવા જવા માટેનો આ એકમાત્ર રસ્તો છે.
અનેક રજૂઆતો છતા તંત્ર જાણે મોટી દુર્ઘટનાની જોઈ રહ્યુ છે રાહ
જર્જરીત પુલ બાબતે તંત્રને અનેક રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. અહીં ગમે ત્યારે મોટો અકસ્માત થવાની શક્યતા રહેલી છે. રોજ લોકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે. પરંતુ તંત્રને જાણે કંઈ પડી જ નથી. સ્થાનિકોની અનેક રજૂઆતો છતા તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યુ છે. ત્યારે સવાલ એ છે કે શું કોઈ દુર્ઘટના થશે ત્યારબાદ જ તંત્ર કામગીરી કરશે ?
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
