Gujarat માં આજે જાહેર થઇ શકે છે કોરોનાની નવી ગાઈડલાઇન, મળી શકે આ છૂટછાટો

ગુજરાતમાં કોરોના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ત્યારે રાજ્ય સરકાર કોરોનાની નવી એસઓપી જાહેર કરે તેવી શક્યતા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં નવી એસઓપી બાબતે ચર્ચા થઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 10:11 AM

ગુજરાતમાં(Gujarat) કોરોના(Corona) સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ત્યારે રાજ્ય સરકાર કોરોનાની નવી એસઓપી(Corona Guidelines) જાહેર કરે તેવી શક્યતા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં નવી એસઓપી બાબતે ચર્ચા થઈ હતી. આ નવી એસઓપીમાં રાત્રી કરફ્યુના સમયગાળામાં ફેરફાર કરવામાં આવી શકે છે. મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની છૂટછાટ મળી શકે છે. રાત્રિ કર્ફ્યૂનો સમય 10 વાગ્યાને બદલે 11 વાગ્યા સુધીનો થઈ શકે છે. રાજ્યના 8 મનપા વિસ્તાર સિવાયના 27 શહેરોમાંથી રાત્રિ કરફ્યૂ સંપૂર્ણપણે હટાવવામાં આવે તેવી પણ શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતા જ લોકોને ફરજિયાત માસ્ક પહેરવાના નિયમમાંથી મુક્તિ મળી શકે છે. રાજ્યના મુખ્યપ્રધાને ગિફ્ટ સિટીમાં એક બેઠકને સંબોધતા માસ્ક હટાવવાના સંકેત આપ્યા હતા. મુખ્યપ્રધાને કહ્યું હતું કે મહામારીમાંથી બહાર નીકળ્યા એમ માસ્કમાંથી પણ બહાર આવીશું. આ અંગે કેબિનેટની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાઈ શકે છે. ગુજરાતમાં પોણા બે વર્ષથી માસ્ક પહેરવો ફરજિયાત કરાયો છે. ગુજરાત હાઈકોર્ટે નિયમનો ભંગ કરનારા સામે 1 હજાર રૂપિયાનો દંડ વસુલવા આદેશ કર્યો હતો.

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેના પગલે સરકાર રાત્રિ કરફ્યુમાં વધુ છૂટછાટની જાહેરાત કરી શકે છે. તેમજ હાલ રાજ્યમાં કોરોના વેકસીનેશનના બુસ્ટર ડોઝની કામગીરીને વધુ વેગ આપી શકે છે.

આ પણ વાંચો : Sabarkantha : આંગડિયા કર્મચારીનું અપહરણ કરી લૂંટ ચલાવાઈ

આ પણ વાંચો :  Porbandar : માછીમારીઓના પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ મુદ્દે કોસ્ટ ગાર્ડ અને માછીમારો વચ્ચે બેઠક

Follow Us:
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">