Breaking News : ગુજરાતમાં રેશનકાર્ડના બદલે ડિજિટલ ફૂડ કૂપન સિસ્ટમ, સરકારનો મોટો નિર્ણય

સરકારી અનાજ સગેવગે કરનારા લોકોની હવે ખેર નથી. અન્ન અને પુરવઠા વિભાગ હવે ડિજિટલ કૂપન થકી અનાજ આપશે જેથી ગેરરિતી અટકે અને અનાજની ગુણવત્તામાં કોઈ છેડછાડ કરી ના શકે. સાથે જ હવે બનશે અનાજનું ATM જેનાથી લાભાર્થી સીધા જ અનાજ અનુકૂળતા મુજબ મેળવી શકે

Breaking News : ગુજરાતમાં રેશનકાર્ડના બદલે ડિજિટલ ફૂડ કૂપન સિસ્ટમ, સરકારનો મોટો નિર્ણય
Gujarat Digital Food Coupon
| Updated on: Feb 13, 2026 | 8:07 PM

ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનો અંગે ભ્રષ્ટાચાર અને ગુણવત્તા સંબંધિત ફરિયાદો વર્ષોથી સાંભળવા મળે છે. લાભાર્થીઓને આપવામાં આવતા અનાજમાં ગેરરીતિ, સગેવગે અથવા ઓછું વજન જેવી સમસ્યાઓની ફરિયાદો વારંવાર રાજ્યના ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સુધી પહોંચતી રહી છે. આ પરિસ્થિતિમાં કાયમી ઉકેલ લાવવા માટે રાજ્ય સરકાર હવે એક મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે.

ગુજરાત સરકાર ટૂંક સમયમાં પરંપરાગત રેશનકાર્ડની જગ્યાએ ડિજિટલ ફૂડ કૂપન સિસ્ટમ લોન્ચ કરશે. નવી વ્યવસ્થામાં લાભાર્થીઓને ફિંગરપ્રિન્ટ આપવાની જરૂર નહીં રહે, પરંતુ ક્યુઆર કોડ સ્કેન કરીને તેમને મળવાપાત્ર જથ્થો મળી શકશે. આ ટેક્નોલોજી આધારિત વ્યવસ્થાથી વિતરણ પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બનશે.

સરકારના અનુમાન મુજબ આ બદલાવથી ગાંધીનગરથી લઈને અંતિમ લાભાર્થી સુધી રિયલ ટાઈમ મોનીટરીંગ શક્ય બનશે. કયા લાભાર્થીએ કેટલો જથ્થો લીધો, ક્યારે લીધો અને દુકાન પર કેટલું અનાજ પહોંચ્યું તેની સંપૂર્ણ માહિતી તાત્કાલિક ઉપલબ્ધ રહેશે. પરિણામે અનાજ સગેવગે થવા, ઓછું આપવાની અથવા ગેરરીતિની ફરિયાદોમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

આ સાથે જ હવે તુવેરની દાળ લાભાર્થીઓને ખુલ્લી નહીં પરંતુ પેકિંગમાં આપવામાં આવશે. પેકિંગ વ્યવસ્થાથી ગુણવત્તા જાળવાશે, ઓછું વજન આપવાની શક્યતા ઘટશે અને સગેવગે થવા જેવી સમસ્યાઓ પણ ઓછી થશે.

નવી વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં 15મી તારીખથી રાજ્યનું પ્રથમ અનાજ એટીએમ શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારબાદ વર્ષના અંત સુધીમાં દરેક જિલ્લામાં અનાજ એટીએમ સ્થાપિત કરવાની યોજના છે. આ સુવિધાથી લાભાર્થીઓ પોતાની અનુકૂળતા મુજબ અને સમયસર અનાજ મેળવી શકશે.

લાભાર્થીઓનું કહેવું છે કે હાલની સિસ્ટમમાં ગુણવત્તા સંબંધિત ફરિયાદો તેમજ સર્વર ડાઉન જેવી સમસ્યાઓ ઘણીવાર સર્જાય છે. જો નવી ડિજિટલ વ્યવસ્થાથી આ ખામીઓ દૂર થાય તો તે લાભાર્થીઓ માટે અત્યંત લાભદાયી સાબિત થશે.

રાજ્યમાં હાલમાં અંદાજે 3 કરોડ લોકો દર મહિને સરકારી અનાજ વ્યવસ્થાનો લાભ લે છે. જો આ નવી સિસ્ટમ સફળતાપૂર્વક અમલમાં મુકાઈ અને યોગ્ય રીતે કાર્યરત રહે, તો તે પારદર્શકતા, ગુણવત્તા અને સુવિધા ત્રણેય ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારો લાવી શકે છે.

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે.વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો