ગુજરાતમાં 18 લાખ મતદારો નકલી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
ગુજરાતમાં(Gujarat) 18 લાખ મતદારો(Voter) નકલી હોવાનો કોંગ્રેસનો(Congress) આક્ષેપ છે. આ મામલે કોંગ્રેસ દ્વારા ચૂંટણી કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને પગલે કોંગ્રેસ એક્શનમાં છે ત્યારે કોંગ્રેસ દ્વારા સર્વે કરાયો છે.
ગુજરાતમાં(Gujarat) 18 લાખ મતદારો(Voter) નકલી હોવાનો કોંગ્રેસનો(Congress) આક્ષેપ છે. આ મામલે કોંગ્રેસ દ્વારા ચૂંટણી કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને પગલે કોંગ્રેસ એક્શનમાં છે ત્યારે કોંગ્રેસ દ્વારા સર્વે કરાયો છે. જેમાં આ હકીકત સામે આવી છે. એકજ સોસાયટી, એકજ ઘર અને કુટુંબમાં નકલી મતદારો હોવાનું સામે આવ્યું છે. તો ચૂંટણી પંચ કોઈ પગલાં નહીં ભરે તો હાઇકોર્ટનો સહારો લેવાની પણ તૈયારી કોંગ્રેસે કરી છે.
કોંગ્રેસ 2017માં 1 હજાર કરતા ઓછા મતથી કોંગ્રેસ 20 બેઠક હારી હતી
જેમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં એક વ્યક્તિ વધુ જગ્યાએ મતદાન ન કરે તે જરૂરી છે… નકલી મતદારો હયા છે મૃત્યુ પામ્યા નથી.ત્યારે જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહીની માગ કરાઈ છે. ચૂંટણીમાં નકલી મતદારો ઘણી બેઠકો પર હારજીત નક્કી કરી શકે છે,, ત્યારે 2017માં 1 હજાર કરતા ઓછા મતથી કોંગ્રેસ 20 બેઠક હારી હતી. ત્યારે આ વર્ષે ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવાની માગ કરી છે.
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
