Gujarati Video: ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદજીએ સમજાવ્યો શિવરાત્રી, કાલરાત્રી અને મોહરાત્રીનો મહિમા

|

Feb 16, 2023 | 6:07 PM

Junagadh: ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ શિવરાત્રીનું મહત્વ સમજાવી ત્રણ વિશેષ રાત્રિનો મહિમા સમજાવ્યો. જેમાં શિવરાત્રીનું મહત્વ સમજાવ્યુ સાથોસાથ કાલરાત્રી અને મોહરાત્રીમાં શિવરાત્રીનું મહત્વ સમજાવ્યુ છે.

ભક્તિ, ભજન અને ભોજનનો સમન્વય એવા મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થઇ ગયો છે. નાગા બાવા અને ભારતભરમાંથી આવતા સાધુ સંતોની ભૂમિ એવી જૂનાગઢ લાખો શ્રદ્ધાળુઓના આગમનથી પ્રવિત્ર બનશે. ભવનાથ તળેટી ખાતે શિવ ઉપાસકો, નાગા સંન્યાસીઓ અને દેશ-વિદેશથી આવતા ભક્તો આદ્યાત્મિક મેળાની મજા માણશે.

ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદજીએ શિવરાત્રીનું મહત્વ સમજાવતા જણાવ્યું કે ત્રણ રાત્રિનો મહિમા છે. જેમાં શિવરાત્રી, કાળરાત્રી અને મોહરાત્રીમાં શિવરાત્રીનું વિશેષ મહત્વ છે. શિવરાત્રીના દિવસે રાત્રે બાર વાગ્યે શિવજીના પૂજનનું મહત્વ હોવાનું જણાવી તેમને શિવરાત્રીના મહિમા વિશે પણ જણાવ્યું છે.

ભક્તિ, ભોજન અને ભજનનો સમન્વય એટલે મહાશિવરાત્રિનો મેળો. અખાડાના મહામંડલેશ્વર હરીગીરી મહારાજ અને મહામંડલેશ્વરો, સાધુ-સંતોની ઉપસ્થિતિમાં હર હર મહાદેવના નાદ સાથે પૂજા અર્ચના કરી મેળાને વિધિવત રીતે ભાવિકો માટે ખુલ્લો મૂક્યો હતો. મેળાની પરંપરા મુજબ ભવનાથમાં જૂના અખાડામાં, અગ્નિ અખાડા, ભારતી આશ્રમ સહિત તમામ જગ્યાએ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

મેળામાં તમામ પ્રકારના અન્નક્ષેત્રો શરૂ કરી દેવામાં આવ્યા છે. આદ્યાત્મિક મેળાનો આજથી પ્રારંભ થશે. 18 તારીખે શિવરાત્રિની રાત્રે નાગા સાધુઓની રવેડી નીકળશે અને મૃગી કુંડમાં શાહી સ્નાન થશે અને મેળાની પૂર્ણાહુતિ થશે.

આ પણ વાંચો: Gujarati video: મહાશિવરાત્રીના મેળામાં લોકગાયક કિર્તીદાન ગઢવી લાખો લોકોને કરાવશે નિ:શુલ્ક ભોજન

નાગા બાવા અને ભારતભરમાંથી આવતા સાધુ સંતોની ભૂમિ એવી જૂનાગઢ આવનારા 4 દિવસ લાખો શ્રદ્ધાળુઓના આગમનથી પ્રવિત્ર બનશે. આગામી ચાર દિવસ સુધી ભવનાથ તળેટી ખાતે શિવ ઉપાસકો, નાગા સંન્યાસીઓ અને દેશ-વિદેશથી આવતા ભક્તો આદ્યાત્મિક મેળાની મજા માણશે. ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમો આ મેળો ભક્તોને એક અકલ્પનીય અનુભવ કરાવી જાય છે.

Next Video