ઘોડીસવારી અને ભરતનાટ્યમ શીખવા માંગતા લોકો માટે ખુશ ખબર, GTU એ લોન્ચ કર્યાં 2 નવા કોર્સ, જાણો વિગત

ગુજરાતમાં ભરતનાટ્યમ અને ઘોડેસવારી શીખવા માંગતા લોકો માટે ખુશખબર છે. GTU હવે આ બંને વિષયોમાં કોર્ષ શરુ કરવા જઈ રહ્યું છે. ચાલો જાણીએ વિગત.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 8:50 AM

Ahmedabad: નવી શિક્ષણ નીતિ સાથે વિદ્યાર્થીઓને તક મળે અને સાહસિકવૃતિ કેળવાય તે હેતુથી GTU વધુ બે નવા કોર્સની શરૂઆત કરવા જઇ રહ્યું છે. સર્ટિફિકેટ કોર્સના ભાગરૂપે GTU ઘોડેસવારી (horse riding) તેમજ ભરતનાટ્યમના (bharatnatyam) શિક્ષણ આધારીત બંને કોર્સ (Course) શરૂ કરશે.

ઘોડેસવારીનો કોર્ષ થશે શરુ

આ નવા શરુ થવા જનારા કોર્ષમાં પહેલા કોર્સમાં અંતર્ગત વિદ્યાર્થીઓને ઘોડેસવારીના પાઠ ભણાવવામાં આવશે. આ કોર્સ 45 દિવસનો હશે. જ્યારે ઘોડેસવારી આધારીત અન્ય કોર્સમાં ઘોડાની માવજતથી માંડીને તેનો ખોરાક અને બિમારી જેવી બાબતોને આવરી લેવામાં આવશે. 3 મહિનાના આ કોર્સમાં વિદ્યાર્થીઓ ઘોડાની તમામ બાબતોથી અવગત થઇ શકશે. જેમાં તેના ખોરાક અંગે માહિતી સાથે જ બિમારી અને તેની સારવાર અંગેની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવશે. તો સંપૂર્ણ ઘોડેસવારીનો કોર્ષ 3 મહિનાનો રહેશે, જેની ફી 20 હજાર રૂપિયા રહેશે. જેમાં અરજી કરવા માટે 11 વર્ષથી વધુ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

ભરતનાટ્યમનો કોર્ષ પણ થશે શરુ

GTU આ સાથે ભરતનાટ્યમનો કોર્ષ પણ શરુ થવા જઈ રહ્યો છે. આ કોર્ષમાં ભરતનાટ્યમ (bharatnatyam) નો ઈતિહાસ, વિવિધ આંગિક મુદ્રાઓ, નૃત્યકલા અને‌ અભિનયના નવરસ‌ સંબંધિત માર્ગદર્શન અપાશે. જણાવી દઈએ કે 15 નવેમ્બરથી ભરતનાટ્યમના શોર્ટ ટર્મ કોર્સિસ શરૂ કરવામાં આવશે. આ કોર્ષમાં 7‌ વર્ષથી ઉપરની કોઈ પણ વયના વ્યક્તિ પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકશે. ભરતનાટ્યમનો કોર્ષ 3 મહિનાનો રહેશે, જેની ફી 2 હજાર રૂપિયા હશે.

 

આ પણ વાંચો: ઉચ્ચ શિક્ષણમાં એક સત્રની ફી માફીની કોંગ્રેસની માગ: ‘નવું શૈક્ષણિક સત્ર હજુ શરૂ ન થતા સંચાલકોને કોઈ ખર્ચ નહીં’

આ પણ વાંચો: Ahmedabad: પ્રજાના પૈસાનું પાણી કરવામાં માસ્ટર AMC, આટલા કરોડના ખર્ચે લગાવ્યા માત્ર 19 પોલ, અને હવે છે આ હાલત

Follow Us:
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
g clip-path="url(#clip0_868_265)">