AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot કોર્પોરેશનની કોરોના રિપોર્ટને લઈને  બેદરકારી સામે આવી

Rajkot કોર્પોરેશનની કોરોના રિપોર્ટને લઈને બેદરકારી સામે આવી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 7:32 PM
Share

રાજકોટ મનપાએ કાગળ પર દર્દીનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું અને દર્દીને 7 દિવસની દવા પણ આપી. તો બીજી તરફ દર્દીએ ઑનલાઈન પોર્ટલ પર ચેક કરતા રિપોર્ટ નેગેટિવ જણાવે છે.

રાજકોટમાં કોરોનાના(Corona)  કેસમાં સતત વધારો થઇ રહ્યોછે. જો કે આ દરમ્યાન રાજકોટ (tRajkot) મહાનગરપાલિકાની એક મોટી બેદરકાર સામે આવી છે. જેમાં નિવૃત્ત પ્રિન્સિપાલ હિતેન્દ્ર પંડ્યાએ એન્ટીજન કોરોના ટેસ્ટ (Corona Test) કરાવ્યો હતો. ત્યારે મનપાએ કાગળ પર દર્દીનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું અને દર્દીને 7 દિવસની દવા પણ આપી. તો બીજી તરફ દર્દીએ ઑનલાઈન પોર્ટલ પર ચેક કરતા રિપોર્ટ નેગેટિવ જણાવે છે. આ કેસમાં દર્દી પોતે શું સમજવું તેને લઈ ચિંતામાં મુકાયો છે. જ્યારે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ ઉભા થયા છે.

આ દરમ્યાન  રાજકોટ સિવિલ હોસ્પિટલના 50 કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. જેમાં અત્યાર સુધી નર્સિંગ સ્ટાફ, સફાઈકર્મીઓ, તબીબો સહિત 50 કર્મીઓ કોરોના સંક્રમિત થતાં તંત્રની ચિંતા વધી છે. તેમજ આ તમામ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા હોવાની માહીતી સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા આપવામાં આવી છે.

કોરોના સંક્રમણ વધવાની સાથે ગુજરાત સરકાર દ્વારા રાજકોટ, જામનગર સહિત 8 મહાનગરો તેમજ 17 શહેરોમાં રાત્રી કર્ફયૂ લાદયો છે. તેમજ લગ્ન સમારોહમાં 150 લોકોની મર્યાદામાં છૂટ આપી છે. જેના પગલે લોકોએ પોતાના અનેક મોટા કાર્યક્રમો, મુસાફરી સહિતના આયોજનો મુલત્વી રાખવા પડયા છે. કોરોનાના કેસ વધતા તંત્ર પણ એલર્ટ થઇ ચૂકયું છે.

આ પણ વાંચો :  અમદાવાદ : ઘરેલું ઝઘડામાં પત્નીની હત્યા, હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી

આ પણ વાંચો : મહેસાણા : બે યુવાનોએ કૃમિ ખાતરના ઉત્પાદનમાં કાઠું કાઢ્યું, જાણો આ યુવકોની સિદ્ધિ ગાથા

Published on: Jan 23, 2022 07:15 PM
g clip-path="url(#clip0_868_265)">