Gandhinagar: ભાજપના વધુ એક નેતા કોરોના પોઝિટીવ, ટ્વીટ કરી આપી જાણકારી

અમદાવાદમાં 4 જાન્યુઆરીઓ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા સંત સંમેલન બાદ ભાજપના ઘણા નેતાઓ કોરોના સંક્રમિત થયાના સમાચારો સામે આવી રહ્યા છે. આ સંત સંમેલનમાં ડો. ઋત્વિજ પટેલે પણ હાજરી આપી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 2:34 PM

ગુજરાત સહિત દેશભરમાં કોરોના (Corona)નું સંકટ વધુને વધુ ઘેરાતુ જઈ રહ્યું છે. ગુજરાતમાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાતો જઈ રહ્યો છે. રાજકીય પક્ષોના નેતાઓ પણ કોરોના પોઝિટીવ (Corona positive) બની રહ્યા છે.

ભાજપ પક્ષ (BJP)માં પણ વધુ એક નેતાનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. ડૉ.ઋત્વિજ પટેલ (Dr. Rutvij Patel)નો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ઋત્વિજ પટેલે ટ્વીટ કરીને તેમના કોરોના પોઝિટીવ હોવા અંગેની માહિતી આપી છે.

ઋત્વિજ પટેલનું ટ્વીટ

ડો. ઋત્વિજ પટેલે લખ્યું છે કે મને અસ્વસ્થતાના લક્ષણો જાણવા મળતાં મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. આજે મારો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. છેલ્લા થોડા દિવસોમાં જે કોઈ સાથી મિત્ર મારા સંપર્કમાં આવ્યા હોય, તેમને વિનમ્ર અનુરોધ કરું છે કે સ્વાસ્થ્ય કાળજી દાખવી સ્વયંને કવોરન્ટાઈન કરી કોવિડ-19ની યોગ્ય તપાસ કરાવો.

સંત સંમેલન સુપર સ્પ્રેડર બન્યુ

અમદાવાદમાં 4 જાન્યુઆરીએ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા સંત સંમેલન બાદ ભાજપના ઘણા નેતાઓ કોરોના સંક્રમિત થયાના સમાચારો સામે આવી રહ્યા છે. આ સંત સંમેલનમાં ડો. ઋત્વિજ પટેલે પણ હાજરી આપી હતી.

આ સંત સંમેલનમાં હાજર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપ પ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી સહિતના નેતા કોરોના પોઝિટીવ આવ્યા છે. આ સમારોહ બાદ તમામ સાધુ-સંતો માટે ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા સાધુ- સંતોને ભોજન પીરસવામાં આવ્યું હતું.

આ પણ વાંચો- સરકારી કાર્યક્રમો પર કોરોનાનું ગ્રહણ: CM ભૂપેન્દ્ર પટેલે આ તારીખ સુધીના પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા

આ પણ વાંચે-Ahmedabad : કોરોના સંક્રમણને પગલે સોમવારથી હાઇકોર્ટ વર્ચ્યુઅલ મોડમાં ચાલશે

Follow Us:
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
g clip-path="url(#clip0_868_265)">