Gandhinagar : રામકથા મેદાનમાં 10 હજાર લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે, દેશના 10 રાજ્યોના લોકો ધર્મપરિવર્તન કાર્યક્રમમાં પહોંચ્યા, જુઓ Video

Gandhinagar : ગાંધીનગરમાં આવેલા રામકથા મેદાનમાં દેશના 10 રાજ્યોના લોકો ધર્મપરિવર્તન કાર્યક્રમમાં પહોચ્યા છે. આજે અહીં એકીસાથે 10 હજાર લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાના છે. આ ધર્મપરિવર્તન કાર્યક્રમ બાદ અડાલજના ત્રિમંદિરથી ગાંધીનગર સુધી જંગી વાહન રેલી પણ યોજાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 11:11 AM

ગાંધીનગરના રામકથા મેદાનમાં ધર્મપરિવર્તન કાર્યક્રમ યોજાયો છે. જેમા મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા છે. જુદા જૂદા 10 રાજ્યોના લોકો આ ધર્મપરિવર્તન કાર્યક્રમમાં પહોંચ્યા છે. રામકથા મેદાનમાં આયોજિત આ કાર્યક્રમમાં 10 હજાર જેટલા લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે. આ ધર્મપરિવર્ન પહેલા અડાલજના ત્રિ-મંદિરથી ગાંધીનગર સુધી જંગી વાહન રેલી પણ યોજાશે. સ્વયં સૈનિક દળ સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે.

SSD સંગઠન દ્વારા ધર્મપરિવર્તન કાર્યક્રમનું આયોજન

આ ધર્મપરિવર્તન પહેલા ત્રિમંદિરથી મોટી સંખ્યામાં વાહન રેલી આયોજિત કરાઈ છે. જેમા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તેમજ દેશના જુદા જુદા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શિડ્યુલ કાસ્ટના લોકો જોડાયા છે. 100થી વધુ બસ લઈને લોકો આવ્યા છે.

ગૌતમ બુદ્ધનો ધર્મ સમતા, સમાનતા, સમ્યક દૃષ્ટિ છે-SSB સંગઠન

સ્વયં સૈનિક દળ સંગઠનના આગેવાનના જણાવ્યા મુજબ બૌદ્ધ ધર્મમાં કોઈ જાતના પાખંડવાદ, જાતિવાદ કે અસ્પૃશ્તાવાદ નથી. આ ધર્મ સભ્યતા સમાનતાનો ધર્મ છે. તેમજ વર્ષ 1956માં બાબા સાહેબ આંબેડકરે નાગપુરની ધરતી પરથી દોઢ લાખથી વધુ સમર્થકો સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. જેમા મોટાભાગના લઘુમતી સમાજના લોકો એસસી એસટી સમાજના તેમજ ઓબીસી સમાજના લોકો પણ જોડાયા હતા. SSB સંગઠનના આગેવાને વધુમાં જણાવ્યુ હતુ કે આજે બાબા આંબેડકરની 132મી જન્મજયંતિ નિમીત્તે મોટી સંખ્યામાં લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે અને બી.આર આંબેડકરનું પ્રબુદ્ધમય ભારત બનાવવાનું જે સપનુ હતુ તે સાકાર કરવાના પ્રયાસ હાથ ધરાશે.

વિથ ઈનપુટ- કિંજલ મિશ્રા સાથે મિહિર સોની- ગાંધીનગર

આ પણ વાંચો: Ahmedabad : મહિલાને ધર્મપરિવર્તન માટે દબાણ કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો, ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">