Surat Breaking News : રાજ્યમાં ચોમાસા બાદ રોગચાળો વકર્યો, સુરતમાં વધુ 2 લોકોના મોત, જુઓ Video
સુરતમાં રોગચાળાથી વધુ બે લોકોના મોત થયા છે. સુરતમાં ડેન્ગ્યુના કારણે વિદ્યાર્થીનીના મોત થયા છે. જેમાં વિદ્યાર્થીની ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. અચાનક તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે.તો 32 વર્ષિય યુવાનનું ઝાડા-ઉલ્ટીના કારણે મોત નીપજ્યુ છે.
Surat : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. તો સુરતમાં રોગચાળાથી વધુ બે લોકોના મોત થયા છે. સુરતમાં ડેન્ગ્યુના કારણે વિદ્યાર્થીનીના મોત થયા છે. જેમાં વિદ્યાર્થીની ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. અચાનક તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે.
તો 32 વર્ષિય યુવાનનું ઝાડા-ઉલ્ટીના કારણે મોત નીપજ્યુ છે. તો બીજી તરફ અમદાવાદમાં મચ્છરજન્ય રોગો અને વાઈરલ ફીવરના કેસોમાં વધારો થયો છે. જેના કારણે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. તો ડબલ સીઝનના કારણે વાઈરલ ફીવરના કેસો વધ્યા છે. રોજના 1200 જેટલા કેસો માત્ર અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં આવી રહ્યાં છે.
