દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પવન ચક્કી ધરાશાયી થવાના સમાચાર આવી રહ્યા છે. પવન ચક્કી નિચે પડવા સાથે જ તેમાં આગ લાગી હોવાની ઘટના બની છે. વાત દ્વારકાના ખંભાળીયા તાલુકાની છે. નાના આસોટા ગામે પવન ચક્કી ધરાશાયી થઈ છે. પવનચક્કી નિચે પડવા બાદ તુરત જ તે આગમાં લપેટાઈ હતી. પવન ચક્કીમાં ભીષણ આગને પગલે દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. પરંતુ આ ઘટનાને પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
ખંભાળિયા અને તેની આસપાસના વિસ્તારમાં અનેક પવન ચક્કી આવેલી છે. હાલમાં બિપરજોય વાવાઝોડા દરમિયાનથી જ વિસ્તારમાં ભારે પવનની સ્થિતી સર્જાઈ હતી. ત્યાર બાદ હવે ચોમાસાને લઈ પવન ફુંકાઈ રહ્યો છે. જોકે વિશાળ અને મજબૂત પવન ચક્કી હાલના પવનમાં કેમ અને કેવી રીતે ધરાશયી થઈ એ એક સવાલ છે. જેને લઈ સ્થાનિક તંત્ર દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. જેથી આવા અકસ્માતને નિવારી શકાય અને આ માટે ચોક્કસ કારણ જાણી શકાય.
દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:13 pm, Sat, 15 July 23