Devbhoomi Dwarka: જામરાવલથી કલ્યાણપુર અને દ્વારકા જવાને રસ્તે ફરી વળ્યા ડેમના પાણી, જુઓ Exclusive વીડિયો

દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લામાં ભારે વરસાદને પગલે રાવલથી કલ્યાણપુર તરફ જવાના રોડ પર સાની ડેમના પાણી ફરી વળ્યા હતા. કલ્યાણપુરમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો, જેના પગલે નદી અને ડેમમાં પાણીની આવક વધી હતી. રસ્તો બંધ થવાથી સ્થાનિકો અને આસપાસના ગામ લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2022 | 8:24 PM

દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi Dwarka) સતત વરસાદી માહોલ યથાવત છે અને આ વરસાદને પગલે ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો બીજી તરફ ભારે પવન સાથે વરસાદ ખાબકતા મોટા ગુંદા ગામ નજીક એક પવનચક્કી તૂટી પડી હતી. એટલું જ નહીં આસપાસના ખેતરોમાં પણ અવિરત વરસાદને કારણે વરસાદી પાણી ભરાયા છે. જેને કારણે ખેડૂતો ખેતરોમાં ઉભા પાકના નુકસાનની ભીતિથી ચિંતા ગ્રસ્ત થયા છે તો બીજી તરફ ભારે વરસાદને પગલે દ્વારકાના બજારોમાં પણ પાણી વહેતા થયા હતા અને અવિરત મેઘમહેરથી સ્થાનિક નદી નાળાઓ છલકાઈ ઉઠયા છે.

જામરાવલથી કલ્યાણપુર અને દ્વારકાને જોડતો રસ્તો થયો બંધ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને પગલે રાવલથી કલ્યાણપુર તરફ જવાના રોડ પર સાની ડેમના પાણી ફરી વળ્યા હતા. કલ્યાણપુરમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો, જેના પગલે નદી અને ડેમમાં પાણીની આવક વધી હતી. રસ્તો બંધ થવાથી સ્થાનિકો અને આસપાસના ગામ લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. બે દિવસથી આ રસ્તો બંધ છે ત્યારે પાણી નિકાલની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો પરિસ્થિતિ વિકટ બનશે. દ્વારકામાં વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ છે, ત્યારે મેવાસા જવાનો ગ્રામ્ય માર્ગ પણ વરસાદી પાણી ફરી વળતા બંધ થયો છે, હાલમાં  તાલુકાના 12 જેટલા ગામડાઓને જોડતા આ માર્ગ પાણી ફરી વળતા ગામ લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">