માલપુરમાં માતાના મૃત્યુ બાદ અંતિમક્રિયા બાદ પુત્રીઓએ મુખાગ્ની આપી હતી. માલપુરમાં રહેતા અને બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઉપાધ્યાયના પત્નીનું મોત નિપજ્યું હતું. માલપુર શહેરમાં રહેતા ઘનશ્યામભાઈને સંતાનમાં બે દીકરીઓ છે. બંને દીકરીઓની માતા ભારતીબેન ઉપાધ્યાયનું મોત નિપજ્યું હતું.
પુત્ર નહીં હોવાથી બંને દીકરીઓએ માતાના મુખાગ્ની આપવાનો નિર્ણય કર્યો અને તેઓએ અંતિમ સંસ્કારમાં પુત્રીઓએ મુખાગ્ની આપ્યો હતો. સમાજ અને સ્થાનિકો અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓની ઉપસ્થિતિમાં દીકરીઓ દેવાંગી અને જિનલે માતાને અંતિમક્રિયામાં મુખાગ્ની આપી હતી.
આ પણ વાંચો: પાકિસ્તાનનો ક્રિકેટર ચાહક સાથે ઝઘડી પડ્યો, Video થયો વાયરલ, જુઓ
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો