જૂનાગઢમાં આવેલ દત્તાત્રેય શિખર વિવાદ ફરીથી સપાટી પર આવ્યો છે. શિખર પર અધિકારને લઈ દાવા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ચરણ પાદુકાઓ પર ખુરશી ફેંકવાના પ્રયાસનો આરોપ મુકવામાં આવ્યો હતો. આરોપ હતો કે, જૈન સંઘના લોકો દ્વારા ચરણ પાદુકા પર ખુરશી ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય એવો આરોપ થયો હતો. આ દરમિયાન મહંત હરિહરાનંદે નિવેદન મહત્વનુ નિવેદન આપ્યુ છે.
ભવનાથ તળેટીના ભારતી આશ્રમના મહંત હરિહરાનંદે કહ્યુ હતુ કે, ગુરુદત્ત મહારાજ છે અને રહેશે. જો કોઈ વિવાદ કરશે તો તેને સનાતન ધર્મ જવાબ આપવા તૈયાર છે. આમાં વિવાદ કરવા જેવુ કંઈ છે જ નહીં. છતા પણ કોઈ વિવાદ થાય છે તો, સનાતન ધર્મ વાળા પણ સહન નહીં કરે.છતાંય ના સમજે તો એના પગલા લેશુ.