ડાંગ: ધવલીદોડ,કોટબા,ધૂળા અને ઘુબીટા ગામનાં 150 કોંગ્રેસી કાર્યકરો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ચૂંટણી નજીક આવતા રાજકીય તોડજોડ શરૂ થઈ છે. આદિવાસી પેટ્ટી સ્થિત ડાંગમાં પણ કાર્યકરોને પોતાના તરફ ખેંચવા રાજકીય પાર્ટીઓ પ્રયાસ કરી રહી છે. આ અંતર્ગત કોંગી કાર્યકરોએ કેસરિયો ધારણ કાર્યો છે.
ભાજપાની એક યાદીમાં જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કાર્યપદ્ધતિથી પ્રેરિત થઈને કોંગ્રેસી કાર્યકર્તા માજી સરપંચ સયજુભાઈ જાનુભાઇ ઠાકરેની આગેવાની હેઠળ કાર્યકરોએ ભગવો ધારણ કર્યો છે. આ કાર્યક્રમમાં ભાજપ સંગઠન પ્રમુખ કિશોરભાઇ ગાવિત,ગુજરાત સરકારનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ,સંગઠન મહામંત્રી હરિરામભાઇ સાવંત,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ ભોયે સહીત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Published On - 7:13 am, Mon, 26 February 24