Dahod : રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા દાહોદ કોંગ્રેસમાં ભંગાણ, ઈશ્વર પરમારે તમામ હોદ્દા પરથી આપ્યુ રાજીનામું

|

Feb 29, 2024 | 1:55 PM

રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં 7 માર્ચથી શરુ થવાની છે. 8 માર્ચના રોજ આ યાત્રા દાહોદમાં પહોંચશે અને રાહુલ ગાંધી અહીં કાર્યકર્તાઓને સંબોધન પણ કરવાના છે, જો કે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા દાહોદ પહોચે તે પહેલા જ દાહોદ શહેરના પ્રમુખ ઇશ્વર પરમારે રાજીનામું આપી દીધુ છે.

રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં 7 માર્ચથી શરુ થવાની છે. 8 માર્ચના રોજ આ યાત્રા દાહોદમાં પહોંચશે અને રાહુલ ગાંધી અહીં કાર્યકર્તાઓને સંબોધન પણ કરવાના છે, જો કે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા દાહોદ પહોચે તે પહેલા જ દાહોદ શહેરના પ્રમુખ ઇશ્વર પરમારે રાજીનામું આપી દીધુ છે.

કોંગ્રેસમાં એક સાધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસમાં વિખવાદ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ન્યાય યાત્રા શરુ થાય તે પહેલા જ દાહોદ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યુ છે. દાહોદ કોંગ્રેસ શહેર પ્રમુખ ઈશ્વર પરમારે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યુ છે.

આ પણ વાંચો-સુરતના લોકોમાં આવ્યો જાપાની લોકોનો સારો ગુણ, વરઘોડામાં ફટાકડા ફોડ્યા બાદ જાનૈયાઓએ જાતે જ કરી સફાઇ, જુઓ Video

રાહુલ ગાંધી 8 માર્ચે દાહોદમાં સંબોધન કાર્યક્રમ કરવાના છે,ત્યારે રાહુલ ગાંધીની યાત્રાને લઈને દાહોદમાં ગઇકાલે સંમેલન યોજાયું હતું. સંમેલન પૂર્ણ થયા બાદ તરત દાહોદ કોંગ્રેસ શહેર પ્રમુખ ઈશ્વર પરમારે રાજીનામું મૂકી દીધુ છે. શહેર પ્રમુખના રાજીનામા બાદ અન્ય વધુ કોંગ્રેસના હોદ્દેદારો રાજીનામું આપે તેવી ચર્ચાઓ પણ વહેતી થઇ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:53 pm, Thu, 29 February 24

Next Video