Bharuch : દહેજ રોડ ઉપર ઉશ્કેરાયેલા ટોળાએ બસમાં આગ લગાડી, પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
ભરૂચના દહેજ રોડ ઉપર શેરપુરા નજીક અકસ્માતની ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ વાહનોમાં તોડફોડ કરી હતી. તેમજ ઉશ્કેરાયેલા ટોળાએ એક બસને આગ લગાડી દીધી હતી. જો કે રોડ પર બસને આગ લગાડતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ હતી
ભરૂચના(Bharuch) દહેજ રોડ ઉપર શેરપુરા નજીક અકસ્માતની(Accident) ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ વાહનોમાં તોડફોડ કરી હતી. તેમજ ઉશ્કેરાયેલા ટોળાએ એક બસને આગ(Fire) લગાડી દીધી હતી. જો કે રોડ પર બસને આગ લગાડતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ હતી. તેમજ આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળ તરફ રવાના થઈ હતી. તેમજ આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ પર ઘટના સ્થળે પહોંચી છે. આ સમગ્ર ઘટનામાં બસની અડફેટે એક સ્થાનિક ગંભીરરીતે ઈજાગસ્ત થવાથી તેનું મોત નિપજતા સ્થાનિક ગ્રામજનો રોડ ઉપર ઉતરી આવ્યા હતા. તેમજ અતિવ્યસ્ત દહેજ રોડ ઉપર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. તેમજ પરિસ્થિતીને થાળે પાડવા માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
આ પણ વાંચો : ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસના આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર
આ પણ વાંચો : વિશ્વાસધાત : પતિએ જ પત્નીએ બદનામ કરવાનો કારસો રચ્યો, સાયબર ક્રાઇમે પતિની ધરપકડ કરી
ગુજરાત IPS એસોસિએશને ગોપાલ ઇટાલિયા પર કડક પગલાં ભરવાની કરી માગ
Breaking News: સુરતમાં ધોળા દિવસે ગન પોઈન્ટ પર બેંકમાં લૂંટ
જામનગરમાં અપહરણ કરી યુવકને ટોર્ચર કરનારા '5 આરોપી' પોલીસના સકંજામાં
સુરતથી બંગાળ: પરિવર્તનની આશા સાથે હજારો મતદારો વતન રવાના
