Bharuch : દહેજ રોડ ઉપર ઉશ્કેરાયેલા ટોળાએ બસમાં આગ લગાડી, પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
ભરૂચના દહેજ રોડ ઉપર શેરપુરા નજીક અકસ્માતની ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ વાહનોમાં તોડફોડ કરી હતી. તેમજ ઉશ્કેરાયેલા ટોળાએ એક બસને આગ લગાડી દીધી હતી. જો કે રોડ પર બસને આગ લગાડતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ હતી
ભરૂચના(Bharuch) દહેજ રોડ ઉપર શેરપુરા નજીક અકસ્માતની(Accident) ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ વાહનોમાં તોડફોડ કરી હતી. તેમજ ઉશ્કેરાયેલા ટોળાએ એક બસને આગ(Fire) લગાડી દીધી હતી. જો કે રોડ પર બસને આગ લગાડતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ હતી. તેમજ આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળ તરફ રવાના થઈ હતી. તેમજ આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ પર ઘટના સ્થળે પહોંચી છે. આ સમગ્ર ઘટનામાં બસની અડફેટે એક સ્થાનિક ગંભીરરીતે ઈજાગસ્ત થવાથી તેનું મોત નિપજતા સ્થાનિક ગ્રામજનો રોડ ઉપર ઉતરી આવ્યા હતા. તેમજ અતિવ્યસ્ત દહેજ રોડ ઉપર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. તેમજ પરિસ્થિતીને થાળે પાડવા માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
આ પણ વાંચો : ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસના આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર
આ પણ વાંચો : વિશ્વાસધાત : પતિએ જ પત્નીએ બદનામ કરવાનો કારસો રચ્યો, સાયબર ક્રાઇમે પતિની ધરપકડ કરી
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
