Sardar Sarovar Dam: સરદાર સરોવરમાં પાણીની આવક1.35 લાખ પહોંચી, 124 મીટરની જળસપાટી વટાવી

|

Jul 12, 2023 | 9:12 PM

Sardar Sarovar water level: નર્મદામાં આવક 1 લાખ ક્યુસેક કરતા વધારે થવા લાગી હતી. સાંજે 5 કલાકે વધીને 1.8 લાખ ક્યુસેકની નોંધાઈ હતી. રાત્રીના 8 કલાકે 1.35 લાખ ક્યુસેકની આવક નોંધાઈ હતી.

 

ગુજરાતની જીવાદોરી નર્મદાના સરદાર સરોવર ડેમમાં પાણીની નવી આવક નોંધાઈ છે. સતત આવકને લઈ પાણીની આવકમાં વધારો નોંધાયો છે. મંગળવાર સવારે 6.00 કલાકે સરદાર સરોવરની સપાટી 123.40 મીટર નોંધાઈ હતી. જ્યારે જળ જથ્થો 58.50 ટકા જેટલો હતો. જે જળસપાટી બુધવારે રાત્રે 8.00 કલાકે 124.11 મીટર જળસપાટી નોંધાઈ છે. જ્યારે જળ જથ્થો વધીને 59.86 ટકા થયો છે.

મંગળવારે સાંજે નર્મદામાં આવક 1 લાખ ક્યુસેક કરતા વધારે થવા લાગી હતી. સવારે આવક 24 હજાર હતી જે સાંજે 5 કલાકે વધીને 1.8 લાખ ક્યુસેકની નોંધાઈ હતી. જે આવકમાં સતત વધારો થતા સાંજે 6 કલાકે સવા લાખ ક્યુસેક અને રાત્રીને 8 કલાકે 1.35 લાખ ક્યુસેકની આવક થઈ હતી. જે રાત્રે 9 કલાકે આટલીજ જળવાઈ હતી. આમ સતત આવક નોંધાતા સરદાર સરોવરમાં જળજથ્થો વધવા લાગ્યો હતો.

આ પણ વાંચોઃ ICC Test Rankings: ટીમ ઈન્ડિયા નંબર-1, અશ્વિન બોલિંગમાં અને જાડેજા ટોપ પર, સ્ટીવ સ્મિથનુ સ્થાન નિચે સરક્યુ

 

નર્મદા અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 8:57 pm, Wed, 12 July 23

Next Video