રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) વિવાદો પર કવિતા લખનાર પ્રોફેસર મનોજ જોષીને ક્લિનચીટ આપવામાં આવી છે. તપાસ કમિટીના રિપોર્ટમાં ક્લિનચીટ મળતાં સિન્ડિકેટે તેને માન્ય ગણી છે. જેથી કુલપતિએ પ્રોફેસર મનોજ જોષીને ફરજ પર પરત લીધા છે.
અગાઉ પ્રોફેસર મનોજ જોષીએ યુનિવર્સિટીના વિવાદો પર એક કવિતા લખી હતી. જેને લઈને વિવાદ સર્જાતા પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવાયા હતા અને તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. ત્યારે હવે તપાસ કમિટીએ પ્રોફેસરને ક્લિનચીટ આપતાં કુલપતિએ પ્રોફેસર મનોજ જોષીને ફરજ પર પરત લીધા છે. યુનિવર્સિટીના ગુજરાતી ભવનમાં મનોજ જોષી ફરજ પર હાજર થયા છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:00 am, Thu, 3 August 23