તળપદા અને ચુવાળિયા કોળી સમાજનો વિવાદ હવે સુરેન્દ્રનગરથી ભાવનગર પહોંચ્યો છે. ભાવનગરમાં ચુવાળિયા કોળી સમાજનો ઉમેદવાર ઉભો રાખવાની તૈયારી કરી લીધી છે. સુરેન્દ્રનગરમાં ચુવાળિયા કોળી સમાજના ઉમેદવારનો વિરોધ થતા ચુવાળિયા કોળી સમાજે ભાવનગરમાં તળપદા કોળી સમાજના ઉમેદવાર સામે મોરચો માંડ્યો છે. ભાવનગરમાં ભાજપે તળપદા કોળી સમાજમાંથી આવતા નિમુબેન બાંભણિયાને ટિકિટ આપી છે. જ્યારે સુરેન્દ્રનગરમાં ભાજપે ચુવાળિયા કોળી સમાજમાંથી આવતા ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે. સુરેન્દ્રનગરમાં ચુવાળિયા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપતા તળપદા કોળી સમાજમાં નારાજગી ફેલાઈ છે. આ નારાજગીને પગલે હવે ચુવાળિયા કોળી સમાજે પણ પણ પોતાના ઉમેદવારના સમર્થનમાં તળપદા કોળી સમાજ સામે બાંયો ચડાવી છે અને ભાવનગરના ઉમેદવાર સામે પોતાનો ચુવાળિયા કોળી સમાજનો ઉમેદવાર ઉભો રાખાની માગ કરી છે.
ચુવાળિયા કોળી સમાજની મળેલી બેઠકમાં ભાવનગરમાં તળપદા કોળી ઉમેદવાર સામે ચુવાળિયા ઉમેદવાર ઉભા રાખવાનુ એલાન કરવામાં આવ્યુ છે. ભાજપ સામે અપક્ષ ઉમેદવાર ઉભા રાખવાનો બેઠકમાં નિર્ણય કરાયો છે. ભાવનગરમાં અઢી લાખ ચુવાળિયા કોળી સમાજના મતદારો છે. ભાજપે ભાવનગરથી નિમુબેન બાંભણિયાને ટિકિટ આપી છે, જે તળપદા કોળી સમાજમાંથી આવે છે. હવે ચુવાળિયા કોળી સમાજે પોતાના સમાજનો અપક્ષ ઉમેદવાર ઉભો રાખવાનુ એલાન કર્યુ છે. જો આમ થયુ તો કોળી સમાજના જ બે ફાંટા પડી જશે અને જેની સીધી અસર નિમુબેનની વોટબેંક પર પડશે. ચુવાળિયા કોળી સમાજના વોટ વહેંચાઈ જશે. આ તરફ તળપદા કોળી સમાજના વોટ પણ વહેંચાઈ જશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:32 pm, Sun, 31 March 24