Ahmedabad: રખડતા ઢોર નિયંત્રણ વિભાગ વિવાદમાં, ગાયો છોડી મુકવા લાંચ માગ્યાનો માલધારીઓનો આક્ષેપ

Ahmedabad: રખડતા ઢોર નિયંત્રણ વિભાગ વિવાદમાં, ગાયો છોડી મુકવા લાંચ માગ્યાનો માલધારીઓનો આક્ષેપ

| Edited By: | Updated on: Dec 19, 2021 | 6:52 AM

Ahmedabad: ઢોર પકડવા મુદ્દે AMC ની ઢોરપાટી પર માલધારી સમાજનો રોષ જોવા મળી રહ્યો છે. માલધારી સમાજનો આરોપ છે કે પોતાની ગયો છોડાવવા ઢોરપાટીના માણસે લાંચ માંગી.

Ahmedabad: અમદાવાદ મહાનગરપાલિકાનો (AMC) રખડતા ઢોર નિયંત્રણ વિભાગ ફરીથી વિવાદમાં આવ્યો છે. માલધારી સમાજે ગંભીર આક્ષેપ કર્યા છે કે મનપાની રખડતા ઢોર પકડતી ટીમ ઘરે બાંધેલી અને રજીસ્ટર્ડ ગાયોને પકડીને લઈ ગઈ છે. આટલું જ નહીં પણ જ્યારે માલધારીએ આ ગાયોને છોડી દેવા કહ્યું ત્યારે ઢોર નિયંત્રણ વિભાગના કર્મચારીએ રૂપિયા માગ્યા હોવાનો પણ આક્ષેપ માલધારી સમાજે કર્યો છે. આ ગંભીર આક્ષેપો સાથે પોતાના ઢોરને છોડી મુકવાની ઉગ્ર માગ સાથે માલધારી સમાજે નિકોલ પોલીસ સ્ટેશનની બહાર ધરણા કર્યા હતા.

માલધારી સમાજના આગેવાન નાગજી દેસાઇએ જણાવ્યું કે, ઢોર પાટી વાળા ખેલી બાંધેલી રજીસ્ટર કરાવેલી ગાય ઘરે લેવા માટે આવ્યા હતા. અને ગાયો ત્યાંથી લઇ ગયા. ગયો લઇ ગયા બાદ એના માલિકે વિનંતી કરતા ઢોરપાટી વાળાએ 15 હજારુની માગ કરી. તો ઘે આવ્યા ત્યારે ધાકધમકી આપી અને ગાળો બોલ્યાનો આક્ષેપ નાગજી દેસાઈએ કર્યો છે.

નાગજી દેસાઈએ એમ પણ કહ્યું કે જ્યારે અમે ફરિયાદ કરવા ગયા ત્યારે ચોર કોટવાલને દંડે તેમ માલધારી પર કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કરતા અમે ધારણા પણ બેઠા છીએ.

 

આ પણ વાંચો: Ahmedabad: 2.32 લાખના ઝડપાયેલા MD ડ્રગ્સ મામલે વધુ એકની ધરપકડ, ફૈઝુબાવા મુંબઇથી લાવતો હતો ડ્રગ્સ!

આ પણ વાંચો: ચૂંટણી કમિશનરો સાથેની બેઠક વિવાદ, કેન્દ્રએ કરી સ્પષ્ટતા – ચૂંટણી સુધારા અંગે મતભેદો ઉકેલવા માટે બોલાવવામાં આવી બેઠક

Follow Us
Loading...
Unable to load recommendations.