Bhavanagar : યુવરાજસિંહે ફરી એક વાર કર્યો મોટો ઘટસ્ફોટ, આજે ભાવનગર SOG કચેરીમાં થશે હાજર, જુઓ Video

આજે યુવરાજસિંહ બપોરે12 વાગે ભાવનગર પોલીસ સમક્ષ નિવેદન નોંધાવશે. યુવરાજસિંહ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવે તે પહેલા Tv9 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી છે. જેમાં તેમણે ફરી એક વાર અનેક ચોકાવનારા ખુલાસાઓ કર્યા છે. જુઓ સનસનીખેજ ખુલાસાનો વીડિયો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2023 | 10:10 AM

ડમી ઉમેદવાર કૌભાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આજે પોલીસ સમક્ષ હાજર થવાના છે. યુવરાજસિંહ જાડેજા આજે બપોરે 12 વાગ્યે ભાવનગર SOG કચેરીમાં હાજર થવાના છે. પોલીસ સમક્ષ હાજર થતાં પહેલા યુવરાજસિંહે ફરી એક વખત મોટો ઘટસ્ફોટ કર્યો છે. યુવરાજસિંહે ડમી કાંડમાં અનેક મોટા મગરમચ્છોની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો છે. યુવરાજસિંહે જણાવ્યું કે હું ભાવનગર પોલીસ સમક્ષ હાજર થઇશ અને તેના તમામ સવાલોના જવાબ આપીશ.

આ પણ વાંચો : Bhavanagar : વિદેશી નાગરિકો સાથે ઠગાઈ કરતું કોલ સેન્ટર ઝડપાયુ, 3 આરોપીની કરી ધરપકડ

આ સાથે જ યુવરાજસિંહે જણાવ્યુ કે “હું ડમી કાંડમાં મોટા નેતાઓ અને મંત્રીઓના નામ સાથે ખુલાસો પણ કરીશ” યુવરાજસિંહે આક્ષેપ કર્યો કે નેતાઓની રહેમનજર હેઠળ જ આ કૌભાંડ ચાલે છે. મારી પાસે આ વાત સાબિત કરવાના તમામ પુરાવાઓ છે. પરંતુ જો એક આરોપી તરીકે મારે જવાબ લખાવવાનો હોય, તો હું જે નેતાઓના નામ આપું તેમના નિવેદન પણ લેવાવા જોઇએ. યુવરાજસિંહે દાવો કર્યો કે આ કૌભાંડ છેક વર્ષ 2004થી ચાલ્યું આવે છે. આ કૌભાંડમાં ફક્ત 36 આરોપી જ નથી, અનેક લોકોની સંડોવણી છે.

ભાવનગર SOG કચેરીમાં આજે થશે હાજર

ભાવનગરના ચકચારી ડમી કાંડમાં યુવરાજસિંહ જાડેજા વિરૂદ્ધ પણ નાણાકીય વ્યવહારના આક્ષેપો થયા છે. જેને લઇને ભાવનગર SOGએ સીઆરપીસીની કલમ 160 મુજબ યુવરાજસિંહને 19 એપ્રિલે હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું. પરંતુ યુવરાજસિંહે તેમની તબિયત લથડી હોવાનું કારણ જણાવી હાજર રહ્યા નહોતા. જે બાદ યુવરાજસિંહે પોલીસ સમક્ષ હાજર થવા 10 દિવસનો સમય માગ્યો હતો. પરંતુ પોલીસે યુવરાજસિંહને શુક્રવારે બપોરે 12 વાગ્યે હાજર થવાનું નવું સમન્સ પાઠવ્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">