જો તમને કોઈ દરરોજ કમર તોડી નાખે તેવા રસ્તા પરથી પસાર થવાનું કહે,, તો તમે તરત જ ના પાડી દેશો. પરંતુ ભાવનગરના મહુવામાં લોકો આવા રસ્તા પરથી પસાર થવા મજબૂર છે. ઉમણીયાવદર ગામેથી પસાર થતા રસ્તા પરથી વાહનચાલકનોને ન છૂટકે પસાર થવું પડે છે. કેમકે ઉમણીયાવદર ગામથી 10 ગામોને જોડતો આ રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે અને આ હાલત કોઈ એક બે વર્ષથી નહીં, પરંતુ છેલ્લા 5 વર્ષથી આવી જ છે.
આ પણ વાંચો: અમરેલી: રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકીએ ક્યાં કર્યો રૂપિયાનો વરસાદ – જુઓ વીડિયો
લોકોનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષથી આ રોડનું સમારકામ નથી કરાયું કે નથી નવો બનાવાયો. અંદાજે 20 કિમી જેટલો રોડ જર્જરીત હાલતમાં છે. જેથી વાહન ચાલકો રોડ પરથી મહામુસીબતે પસાર થઈ રહ્યા છે. આ રોડ પરથી પસાર થવું લોકોને માથાના દુ:ખાવા સમાન છે. ત્યારે રસ્તાનું જલદી સમારકામ થાય તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.
Input Credit- Sanjay Vala- Mahuva, Bhavnagar
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો